________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૩
ઉપયોગ અધિકાર]
અન્વયાર્થ- (ઉપયો:) ઉપયોગ (ફિવિવ7) બે પ્રકારનો છે-(વર્ણન જ્ઞાન વ) દર્શન અને જ્ઞાન. (ર્શન) એમાં દર્શન-ઉપયોગ (ચતુર્કી) ચારપ્રકારનો (શેય) જાણવો (વક્ષ: વક્ષ: વિધા: ૩૧થ જે વર્ણન) ચક્ષુદર્શન અચક્ષુદર્શન અવધિદર્શન અને કેવળદર્શન. ભાવાર્થ(૧) ઉપયોગ - જીવ ચેતનદ્રવ્ય છે. જ્ઞાન દર્શન તેના ગુણો છે. તેનું એક નામ ચૈતન્ય છે. ચૈતન્યને અનુસરીને થતાં આત્માના પરિણામને ઉપયોગ” કહેવામાં આવે છે. (૨) ઉપયોગના પ્રકારો - ઉપયોગ બે પ્રકારનો છે-દર્શન અને જ્ઞાન દર્શનોપયોગના ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એ ચાર ભેદો છે.
(૧) ચક્ષુદર્શન:- નેત્રના સંબંધથી થતા મતિજ્ઞાનના પહેલાં થનાર સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકનને ચક્ષુદર્શન કહે છે.
(૨) અચલુદર્શન - નેત્ર સિવાય બાકીની ઈન્દ્રિયો અને મનના સંબંધથી થતા મતિજ્ઞાન પહેલાં થનાર સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકનને અચક્ષુદર્શન કહે છે.
૧. ચૈતન્ય વિશેષ તે જ્ઞાનગુણ છે. ચૈતન્ય સામાન્ય તે દર્શનગુણ છે. ૨. ખરેખર જ્ઞાનાવરણીય દર્શનાવરણીયકર્મોના ક્ષયોપશમ-ક્ષયને અનુસરીને ઉપયોગ
થતો નથી તેથી તે અનુસાર થયો એમ કહેવું તે નિમિત્તકારણનું જ્ઞાન કરાવવા માટે ઉપચાર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com