________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધ્યાન કરવા યોગ્ય મંત્ર]
[૧૬૫ (૨) બીજો અર્થ વિગત (નષ્ટ) થઇ ગયું છે. ચિત્ત-અર્થાત્ મનના નિમિત્તે ઉત્પન્ન થતા શુભાશુભ વિકલ્પોનો સમૂહુ-જેમાં, એવું નિર્વિકલ્પ ધ્યાન. એવો પણ થાય છે. અહીં બને અર્થ લાગુ પડે છે.
તાત્પર્ય - નિજ પરમાત્મસ્વરૂપની ભાવનાથી ઉત્પન્ન થતા પરમાનંદ એકલક્ષણધારક સુખામૃતરસ વડે ઉત્પન્ન તથા તેમાં લીન જે પરમ કળા છે તેમાં હે જીવો! તમે સ્થિર થાઓ કે જેથી મોહ–રાગ-દ્વેષ ઉત્પન્ન ન થાય. ૪૮.
ધ્યાન કરવા યોગ્ય મંત્ર पणतीस सोल छप्पय चउ दुगमेगं च जवह झापह।
परमेट्ठिवाचयाणं अण्णं च गुरुवएसेण।। ४९।। पंचत्रिंशत् षोडश षट् पंच चत्वारि द्विकं एकं च जपत ध्यायेत। परमेष्ठिवाचकानां अन्यत् च गुरुपदेशेन।। ४९ ।।
અન્વયાર્થ- (પરમેષ્ટિવાવાનાં) પરમેષ્ઠી વાચક (પંત્રિશ) પાંત્રીશ, (ષોડશ ) સોળ, (૫) છે, (પં) પાંચ, (વારિ) ચાર, (હિ) બે, (૪) એક (વ) અને (ગુરુપૂવેશન) ગુરુના ઉપદેશ વડે (અન્ય) અન્ય મંત્ર (વ) પણ (નપત) જપો (ધ્યાન) અને તેનું ધ્યાન કરો.
૧. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ એ પાંચ પરમેષ્ઠી કહેવાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com