________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનનું લક્ષણ ]
[૧૪૧ વ્યવહાર સમ્યકત્વ તો રાગ છે, તે નીચેના ગુણસ્થાનમાં-ખેદ છે કેઆવ્યા વિના રહેતો નથી, પણ સમ્યગ્દષ્ટિ તે રાગનો માત્ર જ્ઞાતા છે, કર્તા નથી. એટલે કે તેને પોતાનું કર્તવ્ય માનતો નથી. આ સમ્યકત્વ ચોથા ગુણસ્થાનમાં શરૂ થાય છે અને સિદ્ધ અવસ્થામાં પણ સદાકાળ તેનો સદ્દભાવ રહે છે–એમ મોક્ષમાર્ગ પ્રકાશકમાં પૃ. ૩૨૦ કહ્યું છે. આ વ્યાખ્યા સાત તત્ત્વોની મુખ્યતાથી છે, ત્યાં બાકીના ત્રણ (-નિજ આત્માનું, સ્વ-પરનું તથા સુવાદિનું શ્રદ્ધાન) અવિનાભાવપણે હોય છે. સિદ્ધ ભગવાનને વ્યવહારસમ્યકત્વ હોતું નથી.
૫. શાસ્ત્રોમાં સમ્યગ્દર્શન સંબંધી કથનપદ્ધતિ - શાસ્ત્રોમાં કેટલીક જગ્યાએ સમ્યગ્દર્શન થયા પછી ચારિત્રની સવિકલ્પ દશા અગર નિર્વિકલ્પ દશાને ભેળવી સમ્યગ્દર્શનનું વર્ણન કરવામાં આવે છે, તે પ્રસંગે નીચે પ્રમાણે કથન હોય છે -
(૧) દશમા ગુણસ્થાનના છેલ્લા સમયે સંપૂર્ણ રાગનો અભાવ થાય છે અને તે પહેલાં ભૂમિકા અનુસાર રાગ રહે છે. તેથી “ચોથા ગુણસ્થાનથી દશમાં ગુણસ્થાન સુધીના જીવ સરાગી સમ્યગ્દષ્ટિ કહેવાય છે, અને તેના ઉપરના વીતરાગી કહેવાય છે.”
(૨) સાતમાં ગુણસ્થાનથી દશમા ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વક
૧. પં હીરાલાલજી કૃત દ્રવ્યસંગ્રહું ટીકા, ગા. ૩૬, પૃ. ૧૨૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com