________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪]
[દ્રવ્યસંગ્રહું અભાવ થવો તે દ્રવ્યમોક્ષ છે. જીવ અત્યંત શુદ્ધ થઈ જાય તે દશાને મોક્ષતત્ત્વ કહે છે. ગાથા. ૨, ૧૪, પ૧માં “સિદ્ધ પરમેષ્ઠી” સંબંધી જે કહ્યું છે તે અહીં લાગુ પડે છે.
૨. મોક્ષતત્વ સંબંધી ભૂલ- (૧) આત્માની પરિપૂર્ણ શુદ્ધદશાનું પ્રગટ થવું તે મોક્ષ છે; તેમાં આકુળતાનો અભાવ છે-પૂર્ણ સ્વાધીન નિરાકુળ સુખ છે; પરંતુ અજ્ઞાની એવું નહિ માનતાં શરીરનામોજશોખમાં જ સુખ માને છે. મોક્ષમાં દેહ, ઈન્દ્રિય, ખાવું-પીવું, મિત્રાદિ કાંઈપણ હોતું નથી, તેથી અજ્ઞાની અતીન્દ્રિય મોક્ષસુખને માનતો નથી એ તેની મોક્ષતત્ત્વની ભૂલ છે. (૨) અજ્ઞાની સિદ્ધ-સુખ અને ઇન્દ્રાદિસુખની એક જાતિ જાણે છે. જે ધર્મ-સાધનનું ફળ સ્વર્ગ માને છે. તે જ ધર્મ-સાધનનું ફળ તે મોક્ષ માને છે. કોઈ જીવ ઇન્દ્રાદિ પદ પામે તથા કોઈ મોક્ષ પામે ત્યાં એ બન્નેને એક જાતિરૂપ ધર્મનું ફળ થયું માને છે. વળી તે એવું માને છે કે જેને થોડું સાધન હોય છે તે ઇન્દ્રાદિ પદ પામે છે, તથા જેને સંપૂર્ણ સાધન હોય છે તે મોક્ષ પામે છે. જે કારણની જાતિ એક જાણે છે તેને કાર્યની પણ એક જાતિનું શ્રદ્ધાન અવશ્ય હોય, કારણ કે કારણવિશેષતા થતા જ કાર્યવિશેષતા થાય છે. તેથી એવો નિશ્ચય થાય છે કે તેના અભિપ્રાયમાં ઇન્દ્રાદિ સુખ અને સિદ્ધ-સુખની જાતિમાં એક જાતિનું શ્રદ્ધાન છે. ઇન્દ્રાદિને જે સુખ છે તે તો કપાયભાવોથી આકુળતારૂપ છે તેથી તે પરમાર્થથી દુઃખી જ છે, તેથી તેની અને મોક્ષ-સુખની એક જાતિ નથી, વળી સ્વર્ગ-સુખનું કારણ તો પ્રશસ્તરાગ છે, ત્યારે મોક્ષસુખનું કારણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com