________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૭ :
કરવો; તેઓને આત્માનો અનિર્ણય છે તેથી તેમને પણ જરાય ધર્મ પ્રગટે નહીં.
ક્રમબદ્ધ પર્યાયનું યથાર્થ જ્ઞાન
[૬] આત્માને સર્વજ્ઞ માનતાં એ પણ સિદ્ધ થયું કે દરેક દ્રવ્યના ક્રમબદ્ધ પર્યાયો યથાઅવસરે પ્રગટે છે. તે પર્યાય પ્રગટ થાય ત્યારે જે નૈમિત્તિક ભાવ-શુદ્ધ કે અશુદ્ધ થાય તેમાં નિમિત્ત યથાઅવસરે પોતપોતાને કા૨ણે હોય જ છે. આ સંબંધમાં આ ગ્રંથના નિશ્ચયઅધિકાર પૃ. ૫૫માં નીચે પ્રમાણે કહ્યું છે
66
“(૭) જે કાળ વિષે જે કાંઈ જેમ થવાનું છે તેમ જ થાય એને પણ નિશ્ચય કહીએ છીએ.
(૮) વળી જે જે ભાવની જેવીજેવી રીત વડે પ્રવર્તના છે (તે તે) ભાવ તેવી તેવી રીત પામીને પરીણમે-એને પણ નિશ્ચય કહે છે.
,,
[૭]–આ
પ્રમાણે આત્માને સર્વજ્ઞસ્વભાવ, અને નિમિત્તનૈમિત્તિક સંબંધવાળા પર્યાયોસહિતના દ્રવ્યોના તમામ પર્યાયો ક્રમબદ્ધ હોવાનું જેણે સ્વીકાર્યું તેને પ૨ની અને વિકારની કર્તાબુદ્ધિ છૂટી જાય છે.
(૮) એક જ સમયે કારણકાર્ય તથા શાશ્વત અને ક્ષણિક એવા ઉપાદાનના બે ભેદો
દરેક પર્યાયની સ્વતંત્રતા બતાવવા માટે આ ગ્રંથમાં કારણકાર્યનું સ્વરૂપ બહુ સારી રીતે પૃ. ૩૫ થી ૩૭ તથા ૪૦-૪૧માં આપ્યું છે; તેનો ખાસ અભ્યાસ કરવાની જરૂર છે. આ સંબંધમાં કહ્યું છે કે
66
(૧) “ કારણ અને કાર્ય પરિણામથી જ થાય છે.” (પૃ. ૬) (૨) “ પર્યાયનું કાર્ય પર્યાયથી જ થાય છે.” (પૃ. ૪૦)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com