________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: ૫૬ :
ચિહ્ન વિલાસ
થાય-એને પણ નિશ્ચય કહીએ છીએ
(૮) વળી, જે જે ભાવની જેવી જેવી રીત વડે પ્રવર્તના છે (તે તે ભાવ ) તેવી તેવી રીત પામીને પરિણમે-એને પણ નિશ્ચય કહે છે.
(૯) એક પોતાના સ્વદ્રવ્યનું પણ નિશ્ચય નામ છે. (૧૦) વળી, એક પ્રકાર આ છે કે એક ગુણના રૂપને મુખ્ય લઈએ ત્યારે બીજા સર્વે અનંત નિજ ગુણોનું જે રૂપ છે તે, તે (એક) ગુણરૂપના ભાવ થાય છે.
ભાવાર્થ:- કહેવામાં તો એક જાદું રૂપ લઈને કહીએ છીએ; પરંતુ તે જ એક ગુણનું રૂપ છે, (અને) તે જ સર્વનો ૨સ છે. વળી, જો કોઈ એમ જ માને કે ‘અન્ય રૂપ નથી, એક જ છે.' તો ત્યાં અનર્થ ઊપજે છે. જેમ કે એક જ્ઞાનગુણ છે, તે જ્ઞાન વિષે બીજા ગુણનું રૂપ નથી–એમ જેણે માન્યું તે પુરુષે જ્ઞાનને ચેતનરહિત, તેમ જ અસ્તિત્વ-વસ્તુત્વ-જીવત્વ અમૂર્તત્વ વગેરે રતિ માન્યું. પરંતુ એમ માનતાં જ્ઞાનગુણ કઈ રીતે રહ્યો ? શા કારણે રહ્યો? તે ન જ રહ્યો. તેથી અહીં એ વાત સિદ્ધ થઈ કે જે એક એક ગુણનું રૂપ છે તે સર્વ સ્વરસ છે (અર્થાત્ એક ગુણના રૂપમાં બધા ગુણોનું રૂપ અભેદપણે આવી જાય છે), આવા સર્વ સ્વરસને પણ નિશ્ચય કહીએ.
(૧૨) વળી, કોઈ દ્રવ્ય (બીજા) કોઈ દ્રવ્ય સાથે ન મળે, કોઈ ગુણ (બીજા) કોઈ ગુણ સાથે ન મળે (અને )
* જુઓ સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૩૨૧-૨-૩. સમયસાર ગા. ૩૦૮ થી ૩૧૧ ની ટીકા, પ્રવચનસાર. ગાથા ૯૯ ની ટીકા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com