________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૭૫ હવે વીતરાગવિદ્યાને જાણનારા અંતરાત્મા કેવા છે? સમયસારમાં તો કહે છે કે પોતાની જ્ઞાનચેતના સિવાય બીજા કોઈ ભાવને જરાપણ પોતાના માનતા નથી, પોતાને જ્ઞાનચેતનાપણે જ સદાય દેખે છે–અનુભવે છે, તે જ્ઞાની અંતરાત્મા છે, અને જીવ પોતે ભેદજ્ઞાન કરીને જ્યારે અંતરાત્મા થાય ત્યારે જ તે આવા અંતરાત્માને ખરેખર ઓળખી શકે છે. પોતે પોતાના આત્માનું સ્વસંવેદન કર્યા વગર એકલા અનુમાન વડે બીજા જ્ઞાનીધર્માત્માને પણ ઓળખી શકાતા નથી. એટલે આત્મા-અનાત્માનું ભેદજ્ઞાન કરીને જીવે પોતે અંતરાત્મા થવાની આ વાત છે. આત્માના સ્વરૂપને યથાર્થ જાણે તે અંતરાત્મા છે. આત્માનું સ્વરૂપ રાગથી ને દેહથી ભિન્ન છે. રાગ અને દેહનો નાશ થવા છતાં આત્મા તો પોતાના ચેતનસ્વભાવે સદા જીવંત છે, તેના કોઈ ધર્મનો નાશ થતો નથી. પોતાના આવા આત્માને અનુભવનારા અંતરાત્મા એ તો પરમાત્માના પાડોશી છે; બહિરાત્મપણું છોડીને એણે પરમાત્મા સાથે સંધિ જોડી છે. બહિરાત્મપણું છોડી, અંતરાત્મા થઈ પરમાત્મસ્વરૂપને ધ્યાવતાં જીવ પરમાત્મા થાય છે, તેથી પૂજ્યપાદસ્વામી સમાધિશતકમાં કહે છે કે
ત્રિવિધ આત્મા જાણીને, તજ બહિરાતમભાવ; થઈ તું અંતરઆત્મા, ધ્યા પરમાત્મસ્વભાવ.
અંતરાત્માને કોઈને રાગ તો હોય છે, (–બધાને નથી હોતો કેમકે બારમા ગુણસ્થાને પણ અંતરાત્મા છે, તે તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com