________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પપ
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
* જીવતત્વ * જગતમાં જીવો અનંત છે. સ્વભાવથી બધા જીવો ભિન્ન-ભિન્ન એકસરખાં છે. પણ અવસ્થા અપેક્ષાએ જીવોના ત્રણ પ્રકાર પડે છે-બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહારમાં શરીરને જ આત્મા માનનારા જીવો બહિરાત્મા છે, એવા જીવો અનંતા છે. અંતરમાં દેથી ભિન્ન આત્માને જાણનારા જીવો તે અંતરાત્મા છે, તેના અનેક પ્રકાર છે; આવા અંતરાત્મા જીવો અસંખ્યાતા છે. સર્વજ્ઞ પરમપદને પામેલા જીવો તે પરમાત્મા છે-તેના બે પ્રકાર-અરિહંત અને સિદ્ધ; સિદ્ધ-પરમાત્મા અનંતા છે, અરિહંત પરમાત્મા લાખો બિરાજે છે. આવા ભેદ સહિત જીવતત્ત્વ તે વ્યવહારસમ્યગ્દર્શનનો વિષય છે. નિશ્ચયસમ્યગ્દર્શનમાં પોતાના શુદ્ધજીવની નિર્વિકલ્પ પ્રતીત છે, તેમાં કોઈ ભેદો નથી. ભેદને જાણતી વખતે પણ સમકિતી-જીવ એકલા ભેદમાં જ નથી રોકાતા, અભેદ શુદ્ધઆત્માને લક્ષમાં રાખીને ભેદને જાણે છે. કેવળજ્ઞાન વગેરે પર્યાયો થવાનું સામર્થ્ય શુદ્ધઆત્મામાં ભરેલું છે, તેથી શુદ્ધઆત્માની પ્રતીતમાં એ બધું સમાઈ જાય છે. શુદ્ધઆત્માની પ્રતીતમાં પરમાત્માની પ્રતીત પણ સમાઈ ગઈ. આત્માના શુદ્ધ સ્વભાવને અનુભવમાં લીધો ત્યાં અરિહંત ભગવાન અને સિદ્ધભગવાનને ઓળખી લીધા.
* ૩ નીવ તત્ત્વ * અજીવના મુખ્ય પાંચ પ્રકાર-પુદ્ગલ, ધર્માસ્તિકાય,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com