________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાવિજ્ઞાન ભાગ-૩]
[૩૩ જ્ઞાન ને આનંદ તે આત્માના મુખ્ય ગુણો છે. “ચિદાનંદાય નમ:' વગેરે મંત્રો આત્માના સ્વભાવને સૂચવે છે, તેમાં શ્રદ્ધા-વીર્ય વગેરે અનંત ગુણો સમાઈ જાય છે. જે ગુણથી જાઓ તે ગુણ-સ્વરૂપ આખો આત્મા દેખાય છે. આનંદની મુખ્યતાથી જુઓ તો આખો આત્મા આનંદસ્વરૂપ છે, જ્ઞાનની મુખ્યતાથી જુઓ તો આત્મા જ્ઞાનસ્વરૂપ છે; એ જ રીતે શ્રદ્ધા વગેરે અનંત ગુણસ્વરૂપ આખો આત્મા છે; તેના લક્ષથી સમ્યગ્દર્શન-જ્ઞાન-આનંદ પ્રગટે છે. આત્માના લક્ષ રાગ પ્રગટતો નથી, તેનો તો અભાવ થઈ જાય છે. રાગ તે આત્મગુણ નથી એટલે રાગના આશ્રયે આત્માના કોઈ ગુણ (સમ્યગ્દર્શનાદિ) પ્રગટતા નથી. બધાય ગુણોની નિર્મળ પર્યાય આત્માના જ આશ્રયે પરિણમે છે; પોતાના જ્ઞાનાદિ ગુણ-પર્યાયોને ધારણ કરનાર વસ્તુ આત્મા જ છે. જેનામાં જે ગુણ જ નથી તેના આશ્રયે તે ગુણનું કાર્ય પ્રગટે નહીં જેમાં ગુણ હોય તેના જ આશ્રયે તેનું કાર્ય પ્રગટે. જેનામાં જ્ઞાન હોય તેના આશ્રયે કેવળજ્ઞાન થાય, જેનામાં આનંદ હોય તેના આશ્રયે આનંદ થાય. જેનામાં જ્ઞાન કે આનંદ છે જ નહીં તેના આશ્રયે તે ક્યાંથી પ્રગટે? માટે હે જીવ! પરનો આશ્રય છોડ ને સ્વદ્રવ્યની સામે જોઈને તેનો જ આશ્રય કર. આ કામ ત્વરાથી કર એટલે કે શીધ્ર કર. આત્માના હિતના કાર્યમાં તું વિલંબ ન કર.
' અરે જીવ! તારી અવસ્થામાં તને અનંતકાળથી દુ:ખનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com