________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[૩૧ આશ્રયે આનંદ થતો નથી કેમકે તેમાં આનંદ નથી. જ્ઞાન ને આનંદ જેનો સ્વભાવ છે તેના જ આશ્રયે તે પ્રગટે છે; પણ જેના સ્વભાવમાં જ્ઞાન ને આનંદ નથી તેના આશ્રયે તે પ્રગટે નહીં.
મોક્ષ એટલે પૂર્ણ આનંદ; તેના કારણરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે પણ અતીન્દ્રિય આનંદના જ અંશો છે. આત્માના આશ્રયે તે પ્રગટે છે. આનંદની જાતના તે અંશો જ પૂર્ણ આનંદનું કારણ થાય છે. રાગ તે કાંઈ આનંદનો અંશ નથી એટલે તે આનંદનું કારણ પણ થતો નથી. તો તેને મોક્ષમાર્ગ કોણ માને? જેનામાં અંશે પણ આનંદ નથી પણ ઊલ્ટી આકુળતા છે એવા રાગભાવો પૂર્ણઆનંદરૂપ મોક્ષનું કારણ કેમ થાય? નિશ્ચય સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્ર-એ ત્રણે આનંદરૂપ છે, રાગ વગરનાં છે અને આત્માને જ આધીન છે, તે જ પૂર્ણ આનંદરૂપ મોક્ષનું કારણ છે. સુખરૂપ પર્યાય પૂર્ણ સુખને સાધે છે, પણ દુઃખરૂપ પર્યાય સુખને સાધી શકે નહીં. શુભરાગવડ વીતરાગમાર્ગ સધાય નહીં. રાગના અભાવરૂપ અંશે વીતરાગતા વડે જ વીતરાગમાર્ગ સધાય છે. પુણ્ય-પાપના રાગમાં આનંદ ક્યાં છે-કે તેના આશ્રયે તે પ્રગટે? આનંદ કહો કે મોક્ષમાર્ગ કહો; તે આનંદનો કોઈ અંશ રાગમાં નથી, ને આનંદમાં રાગ નથી, એટલે તેઓ એકબીજાનું કારણ પણ નથી. આ રીતે રાગ તે મોક્ષમાર્ગ નથી એટલે વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નથી. રાગ વગરનો જે શુદ્ધસ્વભાવ તેના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com