________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વીતરાગવિજ્ઞાન ભાગ-૩]
[ ૨૯ ગુરુ-શાસ્ત્રનું સ્વરૂપ જે ખોટું માને છે તેને તો નિશ્ચય કે વ્યવહાર એક્ય સાચું નથી. સમ્યગ્દર્શનના સહુચરપણે સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર તરફના જ વિકલ્પ હોય, વિરુદ્ધ ન હોય એટલે કુદેવાધિની માન્યતાના વિકલ્પ ત્યાં હોય નહીં. – મોક્ષમાર્ગમાં નિશ્ચય-વ્યવહારની આવી સ્થિતિ છે; પણ તેમાં મોક્ષમાર્ગ તો શુદ્ધાત્માના આશ્રયે થયેલું સમ્યગ્દર્શન જ છે, તેની સાથેનો વિકલ્પ તે કાંઈ મોક્ષમાર્ગ નથી. ભાઈ ! તારા ભાવમાં મોક્ષમાર્ગનું સાચું કારણ શું છે તેને તો તું ઓળખ.
એક તો, સમ્યગ્દર્શનની તૈયારીવાળા જીવને સમ્યગ્દર્શન થવા પહેલાં નિશ્ચયના લક્ષપૂર્વક જે વિકલ્પ હતો તેને સમ્યગ્દર્શનનું કારણ કહ્યું તે વ્યવહાર છે; અને બીજા પ્રકારમાં, સમ્યગ્દર્શનની સાથે સહચારીપણે રહેલા દેવ-ગુરુશાસ્ત્ર તરફની શ્રદ્ધાના વિકલ્પને પણ સમ્યગ્દર્શન કહ્યું તે વ્યવહાર છે; એ બંનેમાં વિકલ્પથી પાર શુદ્ધાત્માની દૃષ્ટિ તે જ સાચું સમ્યગ્દર્શન છે, તે નિશ્ચય છે, તે સત્ય છે, તે મોક્ષનું સાચું કારણ છે.
વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રો તો આત્માનો સર્વજ્ઞસ્વભાવ સિદ્ધ કરે છે; સર્વજ્ઞતા અને વીતરાગતા તે જ તેનું તાત્પર્ય છે; અને તે તાત્પર્ય નિજસ્વરૂપના શ્રદ્ધા-જ્ઞાનઆચરણવડ જ સિદ્ધ થાય છે, પરસમુખતા વડે (એટલે કે વ્યવહાર વડે) તે સધાતું નથી. એટલે વ્યવહારના આશ્રયથી મોક્ષમાર્ગ મનાવે તે જીવો વીતરાગ શાસનમાં નથી, સાચો મોક્ષમાર્ગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com