________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧
વીતરાગવિજ્ઞાન ભાગ-૩] જોઈએ. મોક્ષનો માર્ગ એટલે રાગ વગરના સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર; મોક્ષ નિરાકુળ છે ને તેનો માર્ગ પણ નિરાકુળ છે; રાગ તો આકુળતા છે-દુઃખ છે.
ભગવત સિદ્ધો ને અહંન્તો બહારનાં કોઈ પણ સાધન વગર સ્વયમેવ અનંત અતીન્દ્રિય આનંદને અનુભવે છે. વિદેહક્ષેત્રમાં અત્યારે પણ સીમંધર ભગવાન અને બીજા લાખો અરિહંતભગવંતો એવા અનંત આનંદમાં બિરાજમાન છે, સિદ્ધભગવંતો અનંતા છે તેઓ લોકના શિખરે બિરાજે છે. આવા જ અતીન્દ્રિય સુખથી ભરેલો દરેક આત્મા છે. તેને ઓળખીને તેના આશ્રયે મોક્ષસુખને સાધવાના ઉપાયમાં લાગવું જોઈએ. શ્રી જિનદેવે કહેલા વીતરાગી સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર-કે જે આત્મશુદ્ધિરૂપ છે, તે સાચો મોક્ષમાર્ગ છે. વીતરાગી રત્નત્રય કહો કે નિશ્ચય રત્નત્રય કહો, તે મોક્ષને માટે નિયમથી કર્તવ્ય છે, તેથી તેને “નિયમ' કહેવાય છે, તેમાં રાગનો અભાવ બતાવવા “સાર' વિશેષણ જોડીને તેને “નિયમસાર” કહેવાય છે. તે પરમસુખનો માર્ગ
હવે કહે છે કે આવો મોક્ષનો માર્ગ છે તે બે પ્રકારે વિચારવો-એક સત્યાર્થરૂપ એટલે ખરેખરો મોક્ષમાર્ગ છે, તે તો નિશ્ચયથી મોક્ષમાર્ગ છે; અને તેનું જ કારણ છે. -ખરૂં કારણ નહિ પણ ઉપચાર કારણ છે-તે વ્યવહાર છે. નિમિત્તકારણ કે જે ખરેખર મોક્ષમાર્ગ નથી છતાં ઉપચારથી તેને મોક્ષમાર્ગ કહેવો તે વ્યવહાર છે, તે સત્યાર્થ નથી પણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com