________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૭૫ મુખ્યતાથી વાત કરીએ છીએ. બાકી મુનિરાજને કરવાનો અભિપ્રાય તો છૂટી ગયો છે. એને કરતો નથી, કરાવતો નથી, અનુમોદન કરતો નથી વિકલ્પ વડે. કેટલી સાવધાન દશા છે.
આના પછી ગાથા આવે છે ને! ભેદવિજ્ઞાન દ્વારા નિશ્ચય ચારિત્ર થાય છે. અને મૂળમાં એમ છે કે આવો ભેદ અભ્યાસ કરતાં જીવ માધ્યસ્થ થાય છે, તેથી ચારિત્ર થાય છે. વિકલ્પ છૂટી જાય છે ત્યારે જ નિર્વિકલ્પ અનુભવ થાય છે. સંકલ્પ તો ગયો પણ સંકલ્પ પૂર્વકનો વિકલ્પય ગયો. પણ સંકલ્પ રહિતનો વિકલ્પ રહી જાય છે. સંકલ્પ પૂર્વકનાં વિકલ્પમાં અનંતાનુબંધી એ ગયો પણ સંકલ્પ રહિત અસ્થિરતાનો વિકલ્પ તોડવા માટે ચારિત્ર છે. અસ્થિરતાનો રાગ કહો કે અસ્થિરતાનો વિકલ્પ કહો! એ અસ્થિરતાનો રાગ કેમ છૂટે કે શુદ્ધોપયોગ થાય ત્યારે. કારણ કે બુદ્ધિ પૂર્વક રાગ છÈ આવે છે. સાતમે બુદ્ધિપૂર્વક રાગ નથી તો વ્યવહાર ચારિત્ર પણ નથી પરંતુ નિશ્ચય ચારિત્ર જ છે.
કોઈ એમ કહે કે નિશ્ચય ચારિત્ર અને વ્યવહાર ચારિત્ર અને મોક્ષનો માર્ગ છે તો એમાં બાધા આવે છે. શ્રેણી વખતે વ્યવહાર ચારિત્ર તો નથી.છતાં શુદ્ધોપયોગ થઈ જાય છે
કેવળજ્ઞાન થઈ જાય છે. ઉલટું વ્યવહાર ચારિત્ર એ તો બાધક છે. પરંતુ વ્યવહારના પક્ષવાળો એમ કહે કે મોક્ષમાર્ગ બે પ્રકારના હોય ત્યારે સાધ્યની સિદ્ધિ થાય છે. એમાં બાધા આવે છે. કેમકે સાતમે, આઠમે, નવમે, દસમે, વ્યવહાર ચારિત્ર તો છે નહીં. જ્યારે વ્યવહાર ચારિત્રનો નિષેધ કરે છે ત્યારે તો શુદ્ધોપયોગ થાય છે. વિકલ્પને કરતો નથી, કરાવતો નથી, એ વ્યવહાર ચારિત્રનો તો નિષેધ થયો. શ્રદ્ધા તો પ્રગટ થઈ ગઈ છે. હું જાણનાર છું કરનાર નથી.” આહાહા! હું કરનાર નથી તેવો વિકલ્પ ઉઠે છે હું જાણનાર છે ત્યાં જાણનારમાં જતો રહે છે જાણનારને જાણવા.
“ જાણનાર છું કરનાર નથી” એ આ પાંચ ગાથાનો સાર છે. સવારે ચિંતનમાં એ આવ્યું “જાણનાર છું કરનાર નથી.” કેમકે એવું સ્વરૂપ છે.
જેમ સિદ્ધ ભગવાન જાણનાર છે એમ હું પણ જાણનાર દેખનાર છું. સિદ્ધ થાય છે એ કેવી રીતે થાય છે? આ રીતે કે: હું “જાણનાર છું કરનાર નથી.” કોની જેમ? કહે સિદ્ધની જેમ. સિદ્ધ કેવળ જાણનાર છે કરનાર નથી એમ બધા આત્મા કેવળ જાણનાર છે કરનાર નથી. સ્વભાવમાં ‘કરવું છે જ નહીં. સ્વભાવમાં જાણવું જ છે.
હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોને કરતો નથી.” આમાં પરમાર્થ પ્રતિક્રમણ આવી ગયું કે નહીં! સાતમું ગુણસ્થાન આવ્યું કે નહીં!? નિશ્ચય ચારિત્રનો કરનારેય નથી અને નિશ્ચય ચારિત્રનો જાણનારેય નથી.
આહાહા! પરિણામનો કરનાર તો નથી પણ પરિણામનો જાણનાર છું તો શુદ્ધોપયોગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com