________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દેવ-દર્શનનો સારાંશ
હે વીતરાગ સર્વજ્ઞ પ્રભુ! આજ મેં મહાન પુણ્યોદયથી આપનાં દર્શન પ્રાપ્ત કર્યા છે. આજ સુધી આપને જાણ્યા વિના અને આપના ગુણોને ઓળખ્યા વિના (મું) અનંત દુઃખ ભોગવ્યાં છે.
મેં આ સંસારને પોતાનો જાણીને અને સર્વજ્ઞ ભગવાને કહેલા, આત્માનું હિત કરનાર વીતરાગ ધર્મને ઓળખ્યા વિના અનંત દુઃખ ભોગવ્યાં છે. આજ સુધી મેં સંસારને વધારનાર અને સાચા સુખનો નાશ કરનાર પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં સુખ માનીને ખજાનો એવા સ્વ-પર ભેદવિજ્ઞાનરૂપ અમૃતનું પાન નથી કર્યું. ૧.
પણ આજે આપનાં ચરણો મારા હૃદયમાં વસ્યાં છે તેને જોઈને કુબુધ્ધી અને મોહ ભાગી ગયા છે. આત્મજ્ઞાનની કળા હદયમાં જાગૃત થઈ ગઈ છે. અને મારી રુચિ આત્માના હિતમાં લાગી ગઈ છે. સત્સમાગમમાં મારું મન લાગવા માંડ્યું છે. તેથી મારા મનમાં એવી ભાવના જાગૃત થઈ છે કે આપની ભક્તિમાં જ રમી રહું.
હે ભગવાન! જો વચન બોલું તો આત્માનું હિત કરનાર પ્રિય વચન જ બોલું. મારું મન ગુણવાન મનુષ્યોની પ્રશંસા કરવામાં જ લાગે અથવા આત્મહિતનું કથન કરનારાં શાસ્ત્રોના અભ્યાસમાં જ લીન રહે. મારું મન દોષોના કથનથી દૂર રહે. ૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com