________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિધાર્થી- તો આપણો આત્મા અનંત ગુણોનો ભંડાર છે? શિક્ષક- ભંડાર શું? એવું થોડું જ છે કે આત્મા જુદો છે અને ગુણી તેમાં ભર્યા
છે, કે જેથી તેને ગુણોનો ભંડાર કહીએ. તે તો ગુણમય જ છે, તે તો
ગુણોનો અખંડ પિંડ છે. વિદ્યાર્થી- તે અનંત ગુણ કયા-કયા છે? શિક્ષક- શું વાત કરો છો? અનંત પણ ગણાવી કે બતાવી શકાય? વિદ્યાર્થી- કાંઈક તો બતાવો? શિક્ષક- ગુણ બે પ્રકારના છે. સામાન્ય ગુણ અને વિશેષ ગુણ.
જે ગુણો બધાં દ્રવ્યોમાં રહે છે તેમને સામાન્ય ગુણ કહે છે અને જે બધાં દ્રવ્યોમાં ન રહેતા પોતપોતાના દ્રવ્યમાં જ હોય તેને વિશેષ ગુણ કહે છે. જેમ કે અસ્તિત્વ ગુણ બધાં દ્રવ્યમાં હોય છે, તેથી તે સામાન્ય ગુણ થયો અને જ્ઞાન ગુણ માત્ર આત્મામાં જ હોય છે, તેથી જીવ
દ્રવ્યનો તે વિશેષ ગુણ થયો. વિદ્યાર્થી- સામાન્ય ગુણ કેટલા હોય છે? શિક્ષક- અનેક, પણ તેમાં છ મુખ્ય છે-અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ,
અગુરુલઘુત્વ અને પ્રદેશત્વ.
જે શક્તિના કારણે દ્રવ્યનો કદી પણ અભાવ (નાશ) ન થાય તેને અસ્તિત્વ ગુણ કહે છે. પ્રત્યેક દ્રવ્યમાં અસ્તિત્વ ગુણ છે, તેથી તે પ્રત્યેક દ્રવ્યની સત્તા પોતાથી જ છે, તેને કોઈએ બનાવ્યું નથી અને ન કોઈ એનો નાશ કરી શકે છે કેમ કે તે અનાદિ અનંત છે.
આ જ અસ્તિત્વ ગુણની અપેક્ષાએ તો દ્રવ્યનું લક્ષણ “સત્' કહેવામાં આવે છે. (“સતદ્રવ્યનક્ષમ”) અને સતનો કદી વિનાશ થતો નથી. તથા અસત્ની કદી ઉત્પત્તિ થતી નથી. માત્ર પર્યાય બદલે છે.
૨૧
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com