SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આચાર્ય જેઓ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યચ્ચારિત્રની અધિકતાથી પ્રધાનપદ પ્રાપ્ત કરીને મુનિસંઘના નાયક થયા છે, તથા જેઓ મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપાચરણમાં જ મગ્ન રહે છે, પણ કોઈ કોઈ વાર રાગાંશના ઉદયથી કરુણાબુદ્ધિ થાય તો ધર્મના લોભી અન્ય જીવોને ધર્મોપદેશ આપે છે, દીક્ષા લેનારને યોગ્ય જાણી દીક્ષા આપે આચાર્ય પરમેષ્ઠી છે, પોતાના દોષ પ્રગટ કરનારને પ્રાયશ્ચિત વિધિથી શુદ્ધ કરે છે – આવું આચરણ કરનાર અને કરાવનાર આચાર્ય કહેવાય છે. ઉપાધ્યાય જેઓ ઘણાં જૈન શાસ્ત્રોના જ્ઞાતા હોઈને સંઘના પઠન-પાઠનના અધિકારી થયા છે, તથા સમસ્ત શાસ્ત્રોનો સાર, જે આત્મસ્વરૂપમાં એકાગ્રતા છે; અધિકતર તો તેમાં લીન રહે છે. કોઈ કોઈ વાર કપાય અંશના ઉદયથી જો ઉપયોગ ત્યાં સ્થિર ન રહે તો તેઓ શાસ્ત્રો સ્વયં ઉપાધ્યાય પરમેષ્ઠી વાંચે છે અને બીજાઓને ભણાવે છે - તે ઉપાધ્યાય છે. તેઓ મુખ્યપણે બાર અંગના પાઠી હોય છે. ૧૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008223
Book TitleBalbodh Pathmalal 3
Original Sutra AuthorN/A
AuthorHukamchand Bharilla
PublisherTodarmal Granthamala Jaipur
Publication Year1985
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size540 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy