________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
5
દેવ-સ્તુતિનો સારાંશ
આ સ્તુતિ સાચા દેવની છે. જે વીતરાગ, સર્વજ્ઞ અને હિતનો ઉપદેશ કરનાર હોય તેને સાચા દેવ કહે છે. જે રાગ-દ્વેષ રહિત હોય તે વીતરાગ છે અને જે લોકાલોકના સમસ્ત પદાર્થોને એક સાથે જાણે છે તે જ સર્વજ્ઞ છે. આત્મહિતનો ઉપદેશ આપનાર હોવાથી વીતરાગ સર્વજ્ઞને હિતોપદેશી કહેવામાં આવે છે.
ભવ્ય જીવ, વીતરાગ ભગવાનને પ્રાર્થના કરતાં સૌથી પહેલા એ જ કહે છે કે હું મિથ્યાત્વનો નાશ અને સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરું કારણ કે મિથ્યાત્વનો નાશ કર્યા વિના ધર્મની શરૂઆત જ થતી નથી.
ત્યાર પછી તે પોતાની ભાવના વ્યક્ત કરતાં કહે છે કે મારી પ્રવૃત્તિ પાંચે પાપ અને કષાયો રૂપ ન થાય. હું હિંસા ન કરું, જૂઠું ન બોલું, ચોરી ન કરું, કુશીલનું સેવન ન કરું અને લોભને વશ થઈને પરિગ્રહ સંગ્રહ ન કરું, સદા સંતોષ ધારણ કરીને રહું અને મારું જીવન ધર્મની સેવામાં વર્ત્યા કરે.
२
Please inform us of any errors on rajesh@AtmaDharma.com