________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
અનંત કાળ સુધી કેવળજ્ઞાન વહ્યા કરે તોપણ દ્રવ્ય તો એવું ને એવું જ રહે છે. ૨૦૪.
*
૬૯
ચૈતન્યની અગાધતા, અપૂર્વતાને અનંતતા બતાવનારાં ગુરુનાં વચનો વડે શુદ્ધાત્મદેવ બરાબર જાણી શકાય છે. ચૈતન્યના મહિમાપૂર્વક સંસારનો મહિમા છૂટે તો જ ચૈતન્યદેવ સમીપ આવે છે.
હે શુદ્ધાત્મદેવ ! તારા શરણે આવવાથી જ આ પંચપરાવર્તનરૂપી રોગ શાંત થાય છે. જેને ચૈતન્યદેવનો મહિમા લાગ્યો તેને સંસારનો મહિમા છૂટી જ જાય છે. અહો ! મારા ચૈતન્યદેવમાં તો પ૨મ વિશ્રાન્તિ છે, બહાર નીકળતાં તો અશાંતિ જ લાગે છે.
હું નિર્વિકલ્પ તત્ત્વ જ છું. જ્ઞાનાનંદથી ભરેલું જે નિર્વિકલ્પ તત્ત્વ, બસ તે જ મારે જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. ૨૦૫.
*
જ્ઞાની એ ચૈતન્યનું અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. અભેદમાં જ દૃષ્ટિ છે: ‘હું તો જ્ઞાનાનંદમય એક વસ્તુ છું’. તેને વિશ્રાન્તિનો મહેલ મળી ગયો છે, જેમાં અનંતો આનંદ ભરેલો છે. શાંતિનું સ્થાન, આનંદનું સ્થાન-એવો પવિત્ર ઉજ્જ્વળ આત્મા છે. ત્યાં
Please inform us of any errors on rajesh@atmadharma.com