________________
૬૪
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
તો કર્તાપણું છૂટે છે. ૧૯૮.
*
જીવને અટકવાના જે અનેક પ્રકાર છે તે બધામાંથી પાછો વળ અને માત્ર ચૈતન્યદરબારમાં જ ઉપયોગને લગાડી દે; ચોક્કસ પ્રાપ્તિ થશે જ. અનંત અનંત કાળથી અનંત જીવોએ આવી જ રીતે પુરુષાર્થ કર્યો છે, માટે તું
પણ આમ કર.
અનંત અનંત કાળ ગયો, જીવ કયાંક કયાંક અટકે જ છે ને ? અટકવાના તો અનેક અનેક પ્રકાર; સફળ થવાનો એક જ પ્રકાર-ચૈતન્યદરબારમાં જવું તે. પોતે કયાં અટકે છે તે જો પોતે ખ્યાલ કરે તો બરાબર જાણી શકે.
દ્રવ્યલિંગી સાધુ થઈને પણ જીવ કયાંક સૂક્ષ્મપણે અટકી જાય છે, શુભ ભાવની મીઠાશમાં રોકાઈ જાય છે, ‘આ રાગની મંદતા, આ અઠયાવીસ મૂળગુણ, -બસ આ જ હું, આ જ મોક્ષનો માર્ગ, ' ઇત્યાદિ કોઈ પ્રકારે સંતોષાઈ અટકી જાય છે; પણ આ અંદરમાં વિકલ્પો સાથે એકતાબુદ્ધિ તો પડી જ છે તેને કાં જોતો નથી ? આ અંતરમાં શાંતિ કેમ દેખાતી નથી ? પાપભાવ ત્યાગી ‘સર્વસ્વ કર્યું’ માની સંતોષાઈ જાય છે. સાચા આત્માર્થીને અને સમ્યગ્દષ્ટિને તો ‘ઘણું બાકી
Please inform us of any errors on rajesh@atmadharma.com