________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
४
સમકિત પહેલાં પણ વિચાર દ્વારા નિર્ણય થઈ શકે છે, “આ આત્મા’ એમ પાકો નિર્ણય થાય છે. ભલે હજુ અનુભૂતિ ન થઈ હોય તોપણ પહેલાં વિકલ્પ સહિતનો નિર્ણય હોય છે ખરો. ૧૩૬.
ચૈતન્યપરિણતિ તે જ જીવન છે. બહારનું તો અનંત વાર મળ્યું, અપૂર્વ નથી, પણ અંદરનો પુરુષાર્થ તે જ અપૂર્વ છે. બહાર જે સર્વસ્વ મનાઈ ગયું છે તે પલટીને સ્વમાં સર્વસ્વ માનવાનું છે. ૧૩૭.
રુચિ રાખવી. રુચિ જ કામ કરે છે. પૂજ્ય ગુરુદેવે ઘણું દીધું છે. તેઓશ્રી અનેક રીતે સમજાવે છે. પૂજ્ય ગુરુદેવનાં વચનામૃતોના વિચારનો પ્રયોગ કરવો. રુચિ વધારતા જવી. ભેદજ્ઞાન માટે તીખી રુચિ જ કામ કરે છે.
જ્ઞાયક', “જ્ઞાયક', “જ્ઞાયક' –એની જ રુચિ હોય તો પુરુષાર્થનું વલણ થયા વિના રહે નહિ. ૧૩૮.
ઊંડાણમાંથી લગની લગાડીને પુરુષાર્થ કરે તો વસ્તુ મળ્યા વિના રહે નહિ. અનાદિ કાળથી લગની
Please inform us of any errors on rajesh@atmadharma.com