________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
બહેનશ્રીનાં વચનામૃત
રમ્યતા છે. તે રમ્યતા કોઈ જાદા જ પ્રકારની છે. સ્વસંવેદનપ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરતાં તે રમ્યતા જણાય છે. સ્વાનુભૂતિની રમ્યતા પણ કોઈ જુદી જ છે, અનુપમ છે.
૧૨૩.
શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવવામાં ગુરુનાં અનુભવપૂર્વક નીકળેલાં વચનો રામબાણ જેવાં છે, જેનાથી મોહુ ભાગી જાય છે અને શુદ્ધાત્મતત્વનો પ્રકાશ થાય છે. ૧૨૪.
આત્મા ન્યારા દેશમાં વસનારો છે; પુદ્ગલનો કે વાણીનો દેશ તેનો નથી. ચૈતન્ય ચૈતન્યમાં જ રહેનાર છે. ગુરુ તેને જ્ઞાનલક્ષણ દ્વારા ઓળખાવે છે. તે લક્ષણ દ્વારા અંદર જઈને શોધી લે આત્માને. ૧૨૫.
પર્યાય પરની દૃષ્ટિ છોડી દ્રવ્ય પર દષ્ટિ દે તો માર્ગ મળે જ. જેને લાગી હોય તેને પુરુષાર્થ ઊપડ્યા વિના રહેતો જ નથી. અંદરથી કંટાળે, થાકે, ખરેખરનો થાકે, તો પાછો વળ્યા વિના રહે જ નહિ. ૧ર૬.
કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. વિભાવ
Please inform us of any errors on rajesh@atmadharma.com