________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
८
બહેનશ્રીનાં વચનામૃત
ચૈતન્યને ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના એટલે કે રાગ-દ્વેષમાંથી નહિ ઊગેલી ભાવના-એવી યથાર્થ ભાવના હોય તો તે ભાવના ફળ્યે જ છૂટકો. જો ન ફળે તો જગતને-ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે, અગર તો આ દ્રવ્યનો નાશ થઈ જાય. પરંતુ એમ બને જ નહિ. ચૈતન્યના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે-એવો જ વસ્તુનો સ્વભાવ છે. આ, અનંતા તીર્થંકરોએ કહેલી વાત છે. ૨૧.
*
ગુરુદેવને તીર્થંકર જેવો ઉદય વર્તે છે. વાણીનો પ્રભાવ એવો છે કે હજારો જીવો સમજી જાય છે. તીર્થંકરની વાણી જેવો જોગ છે. વાણી જોરદાર છે. ગમે તેટલી વાર સાંભળીએ તોપણ કંટાળો ન આવે. પોતે જ એટલા રસકસથી બોલે છે કે જેથી સાંભળનારનો રસ પણ જળવાઈ રહે છે; ૨સબસતી વાણી છે. ૨૨.
*
ઉપલક ઉપલક વાંચન-વિચાર આદિથી કાંઈ ન થાય, અંદર આંતરડીમાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. ૨૩.
*
Please inform us of any errors on rajesh@atmadharma.com