________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
દષ્ટિ દ્રવ્ય ઉપર રાખવાની છે. વિકલ્પો આવે પણ દષ્ટિ એક દ્રવ્ય ઉપર છે. જેમ પતંગ આકાશમાં ઊડે પણ દોર હાથમાં હોય છે, તેમ “ચૈતન્ય છું” એ દોર હાથમાં રાખવો. વિકલ્પો આવે, પણ ચૈતન્યતત્ત્વ તે હું છું-એવો વારંવાર અભ્યાસ કરવાથી દઢતા થાય. ૧૮.
જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, કાળો સર્પ છે. હજુ આસક્તિને લઈને જ્ઞાની બહાર થોડા ઊભા છે, રાગ છે, પણ અભિપ્રાયમાં કાળો સર્ષ લાગે છે. જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઊભા હોવા છતાં વિભાવથી જાદા છે, જ્યારા છે. ૧૯.
મારે કાંઈ જોઈતું જ નથી, કોઈ પર પદાર્થની લાલસા નથી, આત્મા જ જોઈએ-એવી જેને તીખી તમન્ના લાગે તેને માર્ગ મળે જ છૂટકો છે. અંદરમાં ચૈતન્યઋદ્ધિ છે તે ઋદ્ધિ સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી. એવો નિસ્પૃહ થઈ જાય છે કે મારે મારું અસ્તિત્વ જ જોઈએ છે. –આવી અંદર જવાની તીખી તમન્ના લાગે, તો આત્મા પ્રગટ થાય, પ્રાપ્ત થાય. ૨૦.
Please inform us of any errors on rajesh@atmadharma.com