________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૫૧
નથી. મારો દ્રવ્યસ્વભાવ અગાધ છે, અમાપ છે. નિર્મળ પર્યાયનું વેદન ભલે હો પણ દ્રવ્યસ્વભાવ પાસે તેની વિશેષતા નથી. આવી દ્રવ્યદૃષ્ટિ કયારે પ્રગટ થાય કે ચૈતન્યનો મહિમા લાવી, બધાથી પાછો ફરી, જીવ પોતા તરફ વળે ત્યારે. ૩૯૮.
સમ્યગ્દષ્ટિને ભલે સ્વાનુભૂતિ પોતે પૂર્ણ નથી, પણ દષ્ટિમાં પરિપૂર્ણ ધ્રુવ આત્મા છે. જ્ઞાનપરિણતિ દ્રવ્ય તેમ જ પર્યાયને જાણે છે પણ પર્યાય ઉપર જોર નથી. દષ્ટિમાં એકલા સ્વ પ્રત્યેનું દ્રવ્ય પ્રત્યેનું બળ રહે છે. ૩૯૯.
તો શાથત પૂર્ણ ચૈતન્ય જે છું તે છું. મારામાં જે ગુણ છે તે તેના તે જ છે, તેવા ને તેવા જ છે. હું એકેન્દ્રિયના ભવમાં ગયો ત્યાં મારામાં કાંઈ ઘટી ગયું નથી અને દેવના ભવમાં ગયો ત્યાં મારો કોઈ ગુણ વધી ગયો નથી. –આવી દ્રવ્યદૃષ્ટિ તે જ એક ઉપાદેય છે. જાણવું બધું, દષ્ટિ રાખવી એક દ્રવ્ય ઉપર. ૪OO.
જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ
Please inform us of any errors on rajesh@atmadharma.com