________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧૩૮
બહેનશ્રીનાં વચનામૃત
ભાવો દરમ્યાન જ્ઞાતૃત્વપરિણતિની ધારા તો સતત ચાલુ જ હોય છે.
- નિજસ્વરૂપધામમાં રમનારા મુનિરાજને પણ પૂર્ણ વીતરાગદશાના અભાવે વિધવિધ શુભભાવો હોય છે – તેમને મહાવ્રત, અઠયાવીશ મૂળગુણ, પંચાચાર, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ સંબંધી શુભભાવો આવે છે તેમ જ જિનેન્દ્રભક્તિ-શ્રુતભક્તિ-ગુરુભક્તિના ઉલ્લાસમય ભાવો પણ આવે છે. “હે જિનેન્દ્ર! આપનાં દર્શન થતાં, આપનાં ચરણકમળની પ્રાપ્તિ થતાં, મને શું ન પ્રાપ્ત થયું? અર્થાત્ આપ મળતાં મને બધુંય મળી ગયું.” આમ અનેક પ્રકારે શ્રી પદ્મનંદી આદિ મુનિવરોએ જિનેન્દ્રભક્તિના ધોધ વહાવ્યા છે. આવા આવા અનેક પ્રકારના શુભભાવો મુનિરાજને પણ હુઠ વિના આવે છે. સાથે સાથે જ્ઞાયકના ઉગ્ર આલંબનથી મુનિયોગ્ય ઉગ્ર જ્ઞાતૃત્વધારા પણ સતત ચાલુ જ હોય છે.
સાધકને-મુનિને તેમ જ સમ્યગ્દષ્ટિ શ્રાવકને-જે શુભભાવો આવે છે તે જ્ઞાતૃત્વપરિણતિથી વિરુદ્ધસ્વભાવવાળા હોવાથી આકુળતારૂપ–દુઃખરૂપે વેદાય છે, હેયરૂપ જણાય છે, છતાં તે ભૂમિકામાં આવ્યા વિના રહેતા નથી.
Please inform us of any errors on rajesh@atmadharma.com