________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૧૧૭
મોક્ષમાર્ગનું સ્વરૂપ ટૂંકામાં કહીએ તો · અંદરમાં જ્ઞાયક આત્માને સાધ'. આ ટૂંકામાં બધું કહેવાઈ ગયું. વિસ્તાર કરવામાં આવે તો અનંત રહસ્ય નીકળે, કારણ કે વસ્તુમાં અનંતા ભાવો ભરેલા છે. સર્વાર્થસિદ્ધિના દેવો તેત્રીસ તેત્રીસ સાગરોપમ જેટલા કાળ સુધી ધર્મચર્ચા, જિતેંદ્રસ્તુતિ ઇત્યાદિ કર્યા કરે છે. એ બધાંનો સંક્ષેપ ‘શુભાશુભ ભાવોથી ન્યારા એક શાયકનો આશ્રય કરવો, જ્ઞાયકરૂપ પરિણતિ કરવી’ તે છે. ૩૪૫.
*
પૂજ્ય ગુરુદેવે તો આખા ભારતના જીવોને જાગૃત કર્યા છે. સેંકડો વર્ષોમાં જે ચોખવટ નહોતી થઈ એટલી બધી મોક્ષમાર્ગની ચોખવટ કરી છે. નાનાં નાનાં બાળકો પણ સમજી શકે એવી ભાષામાં મોક્ષમાર્ગને ખુલ્લો કર્યો છે. અદ્દભુત પ્રતાપ છે. અત્યારે તો લાભ લેવાનો કાળ છે. ૩૪૬.
*
મારે કાંઈ જોઈતું નથી, એક શાંતિ જોઈએ છે; કયાંય શાંતિ દેખાતી નથી. વિભાવમાં તો આકુળતા જ છે. અશુભથી કંટાળીને શુભમાં અને શુભથી થાકીને અશુભમાં એમ અનંત અનંત કાળ વીતી ગયો. હવે
Please inform us of any errors on rajesh@atmadharma.com