SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates ૧૧૬ બહેનશ્રીનાં વચનામૃત જાય છે, તો કોઈ જીવ ધીમે ધીમે પહોંચે છે. વસ્તુને પામવું, તેમાં ટકવું અને આગળ વધવું બધું પુરુષાર્થથી જ થાય છે. પુરુષાર્થ બહાર જાય છે તેને અંદર લાવ. આત્માના જે સહજ સ્વભાવો છે તે પુરુષાર્થ દ્વારા સ્વયં પ્રગટ થશે. ૩૪૩. * જ્યાં સુધી સામાન્ય તત્ત્વ-ધ્રુવ તત્ત્વ-ખ્યાલમાં ન આવે, ત્યાં સુધી અંદર માર્ગ કયાંથી સૂઝે અને કયાંથી પ્રગટે? માટે સામાન્ય તત્ત્વને ખ્યાલમાં લઈ તેનો આશ્રય કરવો. સાધકને આશ્રય તો પ્રારંભથી પૂર્ણતા સુધી એક જ્ઞાયકનો જ–દ્રવ્યસામાન્યનો જ-ધ્રુવ તત્ત્વનો જ હોય છે. શાયકનું–‘ધ્રુવ ’નું જોર એક ક્ષણ પણ ખસતું નથી. દૃષ્ટિ જ્ઞાયક સિવાય કોઈને સ્વીકારતી નથી-ધ્રુવ સિવાય કોઈને ગણકારતી નથી; અશુદ્ધ પર્યાયને નહિ, શુદ્ધ પર્યાયને નહિ, ગુણભેદને નહિ. જોકે સાથે વર્તતું જ્ઞાન બધાંનો વિવેક કરે છે, તોપણ દૃષ્ટિનો વિષય તો સદા એક ધ્રુવ જ્ઞાયક જ છે, તે કદી છૂટતો નથી. પૂજ્ય ગુરુદેવનો આ પ્રમાણે જ ઉપદેશ છે, શાસ્ત્રો પણ આમ જ કહે છે, વસ્તુસ્થિતિ પણ આમ જ છે. ૩૪૪. * Please inform us of any errors on rajesh@atmadharma.com
SR No.008217
Book TitleBahenshree na Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size873 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy