________________
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
૧૧૬
બહેનશ્રીનાં વચનામૃત
જાય છે, તો કોઈ જીવ ધીમે ધીમે પહોંચે છે.
વસ્તુને પામવું, તેમાં ટકવું અને આગળ વધવું બધું પુરુષાર્થથી જ થાય છે. પુરુષાર્થ બહાર જાય છે તેને અંદર લાવ. આત્માના જે સહજ સ્વભાવો છે તે પુરુષાર્થ દ્વારા સ્વયં પ્રગટ થશે. ૩૪૩.
*
જ્યાં સુધી સામાન્ય તત્ત્વ-ધ્રુવ તત્ત્વ-ખ્યાલમાં ન આવે, ત્યાં સુધી અંદર માર્ગ કયાંથી સૂઝે અને કયાંથી પ્રગટે? માટે સામાન્ય તત્ત્વને ખ્યાલમાં લઈ તેનો આશ્રય કરવો. સાધકને આશ્રય તો પ્રારંભથી પૂર્ણતા સુધી એક જ્ઞાયકનો જ–દ્રવ્યસામાન્યનો જ-ધ્રુવ તત્ત્વનો જ હોય છે. શાયકનું–‘ધ્રુવ ’નું જોર એક ક્ષણ પણ ખસતું નથી. દૃષ્ટિ જ્ઞાયક સિવાય કોઈને સ્વીકારતી નથી-ધ્રુવ સિવાય કોઈને ગણકારતી નથી; અશુદ્ધ પર્યાયને નહિ, શુદ્ધ પર્યાયને નહિ, ગુણભેદને નહિ. જોકે સાથે વર્તતું જ્ઞાન બધાંનો વિવેક કરે છે, તોપણ દૃષ્ટિનો વિષય તો સદા એક ધ્રુવ જ્ઞાયક જ છે, તે કદી છૂટતો નથી.
પૂજ્ય ગુરુદેવનો આ પ્રમાણે જ ઉપદેશ છે, શાસ્ત્રો પણ આમ જ કહે છે, વસ્તુસ્થિતિ પણ આમ જ છે. ૩૪૪.
*
Please inform us of any errors on rajesh@atmadharma.com