________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૧OO
બહેનશ્રીનાં વચનામૃત
નિવૃત્ત થઈ સ્વરૂપમાં લીન થયો તેટલી શાંતિ અને સ્વરૂપાનંદ છે. ૨૯૫.
દ્રવ્ય તો સૂક્ષ્મ છે, તેને પકડવા સૂક્ષ્મ ઉપયોગ કર. પાતાળકૂવાની જેમ દ્રવ્યમાં ઊંડો ઉતરી જા તો અંદરથી વિભૂતિ પ્રગટે. દ્રવ્ય આશ્ચર્યકારી છે. ૨૯૬.
તારું કાર્ય તો તરૂાનુસારી પરિણમન કરવું તે છે. જડનાં કાર્યો તારાં નથી. ચેતનનાં કાર્યો ચેતન હોય. વૈભાવિક કાર્યો પણ પરમાર્થે તારાં નથી. જીવનમાં એવું જ ઘુંટાઈ જવું જોઈએ કે જડ અને વિભાવ તે પર છે, તે હું નથી. ર૯૭.
જ્ઞાની જીવ નિઃશંક તો એટલો હોય કે આખું બ્રહ્માંડ ફરે તોપણ પોતે ફરે નહિ વિભાવના ગમે તેટલા ઉદય આવે તો પણ ચલિત થાય નહિ. બહારના પ્રતિકૂળ સંયોગથી જ્ઞાયકપરિણતિ ન ફરે; શ્રદ્ધામાં ફેર ન પડે. પછી ક્રમે ચારિત્ર વધતું જાય. ૨૯૮.
વસ્તુ સ્વત:સિદ્ધ છે. તેનો સ્વભાવ તેને અનુકૂળ હોય, પ્રતિકૂળ ન હોય. સ્વત:સિદ્ધ આત્મવસ્તુનો
Please inform us of any errors on rajesh@atmadharma.com