________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
૯૯
જ્ઞાનીને “હું જ્ઞાયક છું” એવી ધારાવાહી પરિણતિ અખંડિત રહે છે. તે બહારના ભક્તિ-શાસ્ત્ર-સ્વાધ્યાય આદિ પ્રસંગોમાં ઉલ્લાસપૂર્વક જોડાતા દેખાય ત્યારે પણ તેમની જ્ઞાયકધારા તો અખંડિતપણે અંદર જુદી જ કાર્ય કર્યા કરે છે. ૨૯૪.
જોકે દષ્ટિ-અપેક્ષાએ સાધકને કોઈ પર્યાયનો કે ગુણભેદનો સ્વીકાર નથી તો પણ તેને સ્વરૂપમાં ઠરી જવાની ભાવના તો વર્તે છે. રાગાંશરૂપ બહિર્મુખતા તેને દુ:ખરૂપે વેદાય છે અને વીતરાગતા-અંશરૂપ અંતર્મુખતા સુખરૂપે વેદાય છે. જે આંશિક બહિર્મુખ વૃત્તિ વર્તતી હોય તેનાથી સાધક ન્યારો ને ન્યારો રહે છે. આંખમાં કણું ન સમાય તેમ ચૈતન્યપરિણતિમાં વિભાવ ન સમાય. જો સાધકને બહારમાં-પ્રશસ્ત-અપ્રશસ્ત રાગમાં-દુઃખ ન લાગે અને અંદરમાં-વીતરાગતામાં-સુખ ન લાગે તો તે અંદર કેમ જાય? કયાંક રાગ વિષે “રાગ આગ દહે” એમ કહ્યું હોય, ક્યાંક પ્રશસ્ત રાગને “વિષકુંભ” કહ્યો હોય, ગમે તે ભાષામાં કહ્યું હોય, સર્વત્ર ભાવ એક જ છે કે વિભાવનો અંશ તે દુઃખરૂપ છે. ભલે ઊંચામાં ઊંચા શુભભાવરૂપ કે અતિસૂક્ષ્મ રાગરૂપ પ્રવૃત્તિ હોય તોપણ જેટલી પ્રવૃત્તિ તેટલી આકુળતા છે અને જેટલો
Please inform us of any errors on rajesh@atmadharma.com