________________
૯૨
Version 001: remember fo check htfp://www.AtmaDharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
લાગે છે. પણ જ્યારે કર ત્યારે તારે જ કરવાનું છે. ૨૭૧.
*
જે ખૂબ થાકેલો છે, દ્રવ્ય સિવાય જેને કાંઈ જોઈતું જ નથી, જેને આશા-પિપાસા છૂટી ગઈ છે, દ્રવ્યમાં જે હોય તે જ જેને જોઈએ છે, તે સાચો જિજ્ઞાસુ છે.
દ્રવ્ય કે જે શાંતિવાળું છે તે જ મારે જોઈએ છેએવી નિસ્પૃહતા આવે તો દ્રવ્યમાં ઊંડે જાય અને બધી પર્યાય પ્રગટે. ૨૭૨.
*
ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી સાચા મુમુક્ષુનો આત્મા જાગી ઊઠે છે અને જ્ઞાયકની રુચિ પ્રગટે છે, વારંવાર ચેતન તરફ-જ્ઞાયક તરફ વલણ થાય છે. જેમ ભક્તને ભગવાન માંડમાંડ મળ્યા હોય તો તેને મૂકવા ન ગમે, તેમ ‘હું ચેતન', ‘હું જ્ઞાયક' એમ વારંવાર અંદર થયા કરે, તે તરફ જ રુચિ રહ્યા કરે; ‘હું તો હાલું-ચાલું ને પ્રભુ સાંભરે રે' એવું વર્ત્યા કરે. ૨૭૩.
*
અનંત કાળમાં ચૈતન્યનો મહિમા ન આવ્યો,
Please inform us of any errors on rajesh@atmadharma.com