________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનાં વચનામૃત
સાધના કરનારને કોઈ સ્પૃહી હોતી નથી. મારે બીજાં કંઈ જોઈતું નથી, એક આત્મા જ જોઈએ છે. આ ક્ષણે વીતરાગતા થતી હોય તો બીજું કંઈ જ નથી જોઈતું; પણ અંદર રહેવાતું નથી, માટે બહાર આવવું પડે છે. અત્યારે કેવળજ્ઞાન થતું હોય તો બાર જ ન આવીએ. ર૬૩.
તારા ચિત્તમાં બીજો રંગ સમાયેલો છે, ત્યાં સુધી આત્માનો રંગ લાગી શકતો નથી. બહારનો બધો રસ છૂટી જાય તો આત્મા-જ્ઞાયકદેવ પ્રગટ થાય છે. જેને ગુણરત્નોથી ગૂંથાયેલો આત્મા મળી જાય, તેને આ તુચ્છ વિભાવોથી શું પ્રયોજન? ર૬૪.
આત્મા જાણનાર છે, સદાય જાગૃતસ્વરૂપ જ છે. જાગૃતસ્વરૂપ એવા આત્માને ઓળખે તો પર્યાયમાં પણ જાગૃતિ પ્રગટે. આત્મા જાગતી જ્યોત છે, તેને જાણ. ર૬૫.
જો તારે જન્મ-મરણનો નાશ કરી આત્માનું કલ્યાણ કરવું હોય તો આ ચૈતન્યભૂમિમાં ઊભો રહીને તું પુરુષાર્થ કર; તારાં જન્મ-મરણનો નાશ થઈ જશે. આચાર્યદેવ કણાથી કહે છે: તું મુક્તસ્વરૂપ આત્મામાં
Please inform us of any errors on rajesh@atmadharma.com