________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫] આવૃત્તિ સ્વ. શ્રી છોટાલાલ નારણદાસ જોબાળિયાની સ્મૃતિમાં તેમના સુપુત્રો શ્રી મલકચંદભાઈ, શ્રી ખીમચંદભાઈ, શ્રી હિંમતભાઈ, શ્રી ચિમનભાઈ, તથા શ્રી મનસુખભાઈ જોબાળિયાએ જે રકમ પુસ્તક પ્રકાશન ખાતે દાનમાં આપી છે તેમાંથી પ્રગટ કરવામાં આવે છે. સ્વ. શ્રી છોટાલાલભાઈ પૂ. સ્વામીજી સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ત્યારથી તેમના સાનિધ્યમાં રહી વ્યાખ્યાન-વાણીનો લાભ લેતા હતા. શ્રી સમયસારજી આદિ શાસ્ત્રોની તથા આત્મસિદ્ધિશાસ્ત્રની મૂળ ગાથાઓ તેમને યાદ હોવાથી તેઓશ્રી હમેશા તેનો સ્વાધ્યાય કરતા હતા. તેમનું આખું કુટુંબ તેમની પ્રેરણાથી કાયમી નિવાસસ્થાન બનાવીને સોનગઢમાં રહ્યું છે.
સોનગઢ વૈશાખ સુદ બીજ વિ. સં. ૨૦૧૮
સાહિત્ય-પ્રકાશન સમિતિ શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com