SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮ પ્રવચન નં. ૫ નિયમથી સમ્યકદર્શન થાય. “વળી' કહીને કહ્યું કે સમ્યકએકાંતપૂર્વક અનેકાન્ત અનુભવનાં કાળમાં થાય છે. અનુભવના કાળમાં અનેકાન્તનો-સ્યાદ્વાદનો, જન્મ થાય છે. ધ્યેયનું પડખું બતાવ્યું હવે ય થાય છે તે પડખું બતાવે છે. એકજ શ્લોકમાં ધ્યેય બતાવ્યું અને જ્ઞય થાય છે એ પણ બતાવ્યું. પેલું અનાદિનું શેય છે તે નહીં. આ તો આખું ય બદલી ગયું. પહેલાં મિથ્યાત્વથી સહિત હતો તે આત્મા હવે સમ્યકદર્શનથી સહિત થયો. વળી જેટલું સમ્યક્રદર્શન છે તેટલો જ આ આત્મા છે.” એટલે જેટલી શુદ્ધતા છે તે બધી લઈ લેવી-જ્ઞાનની, દર્શનની, ચારિત્રની આત્માશ્રિત જેટલી શુદ્ધતા પ્રગટ થાય, સંવરનિર્જરા તે બધી. જેટલું સમ્યકદર્શન છે તેટલો જ આત્મા છે. (પ્રશ્નો પણ સાહેબ! તમે પર્યાયને આત્મા કહો છો !? (ઉત્તર) અમે અભેદ કરીને કહીએ છીએ અને ભેદથી સમજાવીએ છીએ. અમે ભેદને આત્મા નથી કહેતા. કથંચિત્ નિર્મળ પર્યાય આત્માથી અભેદ થાય છે-સર્વથા અભેદ નથી થતી. પર્યાય અડે છે. દ્રવ્યના ધર્મો દ્રવ્યને ચૂંબે છે-સ્પર્શે છે. જેટલો સમ્યક-દર્શન-જ્ઞાનચારિત્ર નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો તેટલો જ આત્મા છે–આ અન્નય થઈ ગયું. આ વ્યયધ્રૌવ્યયુક્તસતું આવ્યું. પ્રશ્ન- એક જ સમયે ધ્યેય પણ જણાય અને તેજ સમયે ય પણ જણાય? ઉત્તર- હા, બન્નેનો જણાવાનો સમય એક જ છે. પ્રશ્ન- તો સત તો એ છે! દ્રવ્યને પર્યાય. ઉત્તર- હા, બે છે. પ્રશ્ન- તો છબસ્થનો ઉપયોગ કાં દ્રવ્યને જાણે અને કાં પર્યાયને જાણે? ઉત્તર- ભાઈ ! સાંભળ! દ્રવ્ય ઉપર લક્ષ જતાં પર્યાય દ્રવ્યરૂપ થઈ જાય છે. ત્યારે એક શેય થાય છે, બે શેય નથી રહેતા. જો બે ય તને જણાતા હોય દ્રવ્ય ભિન્ન અને પર્યાય ભિન્ન તેમ જ્ઞાનના વિષયમાં બે જણાય તો અનુભવ નથી. જ્ઞાનમાં પણ આખો અભેદ એક શેય છે. દ્રવ્યથી પર્યાય એ સમયે “તકાલ તન્મય” તે કાળે તો તન્મય છે. આનંદની નિર્મળ પર્યાયથી ભગવાન નિર્મળાનંદ આત્મા તન્મય છે. તે આખું એકાકાર એક ય છે માટે છદ્મસ્થનો ઉપયોગ એક સમયે એક શેયને જાણે તે સિદ્ધાંત બરોબર રહ્યો. દ્રવ્યને પર્યાય બે છે તો છદ્મસ્થનો ઉપયોગ જ્યારે દ્રવ્યને જાણે ત્યારે પર્યાયને જાણે? એવો મેં પ્રશ્ન પૂછેલો. પ્રશ્ન - અનુભવના કાળમાં આનંદની પર્યાય પ્રગટ થાય તેને જ્ઞાન જાણે તો પર્યાયદષ્ટિ થઈ જાય કે નહીં? | ઉત્તર - પર્યાયદષ્ટિ ન થાય. આ કળશમાં જે લખ્યું છે તેનો અર્થ ચાલે છે. આમાં એમ કહ્યું કે –સમ્યક દર્શન જે નવું પ્રગટ થયું-નિશ્ચય સમ્યક્દર્શન તેટલો જ આત્મા છે. ધ્યેયભૂત આત્માનું ધ્યાન કર્યું તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008214
Book TitleAtmajyoti
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy