________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૩ કરવામાં આવતાં. ભૂતાર્થ છે”..એટલે શું કે...આવું જ જ્ઞાન કરવામાં આવે...કે એક દ્રવ્યના પરિણામ આંહીયાં થાય છે ને બીજાં દ્રવ્યના પરિણામ ત્યાં થાય છે–એવું જાણવા માટે, જાણવાની વાત કરો તો એ ભૂતાર્થ છે-પર્યાયો છે. નવના ભેદો–ભૂતાર્થ એટલે એનું હોવાપણું એમ. ભૂતાર્થ એટલે એનો આશ્રય કરવા ( લાયક છે ) એમ વાત નથી.
“અને સર્વ કાળે” –હવે એ પરિણામને જોવાનું બંધ કરીને જો તો..“સર્વકાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને ”જો જીવ, પર્યાયનું કારણ હોય તો કારણ વિનાનો જીવ દેખાય નહીં-અકારણ ન દેખાય, (તો તો) કારણવાળો દેખાય અને કારણવાળો આત્મા (જે) દેખે છે એને (આત્માનો) અનુભવ ન થાય..અકારણ (આત્માને જે) દેખે તેને અનુભવ થાય. કેમકે કારણવાળો આત્માને કહેશો તો એનું કાર્ય હોવું જોઈએ... તો સંધિ રહેશે દ્રવ્ય-પર્યાય વચ્ચે..કર્તા-કર્મની...(અને) નિરપેક્ષ નહીં થાય...માટે (સર્વ કાળે) અસ્મલિત-અસ્મલિત એટલે કોઈ દિ 'સ્મલના ન થાય.દ્રવ્ય પોતાના નિજભાવને (કદી) છોડે નહીં..એને અસ્મલિત કહેવામાં આવે છે.
એક જીવદ્રવ્યના સ્વભાવની...સમીપ જઈને-નજદિક જઈને, અનુભવ કરવામાં આવતાં (એટલે) જ્ઞાન કરવામાં આવતાં....તેઓ” -તેઓ એટલે નવના ભેદો જે એક જીવદ્રવ્યના પરિણામ હતા, એમ કહેવામાં આવતું હતું તેઓ અભૂતાર્થ છે, આત્માના એકરૂપ સ્વભાવમાં તેઓ નથી. આહા..હા ! સામાન્યના વિશેષનો...અભાવ છે. તેઓ અભૂતાર્થ છેપર્યાયને પર્યાય તરફથી જુઓ તો પર્યાય છે, અને દ્રવ્ય તરફ નજર કરો.તો દ્રવ્યમાં પર્યાય નથી.
પર્યાય તરફથી જુઓ...તો પર્યાયમાં પર્યાય જ જણાય છે..પર્યાયમાં દ્રવ્ય જ જણાતું નથી.દ્રવ્ય તરફથી જુઓ તો.દ્રવ્યમાં પર્યાય જણાતી નથી. મીઠાભાઈ, સમજાણું? પર્યાયથી જુઓ તો નવના ભેદો..પર્યાયના ભેદો પર્યાય તરીકે જણાય છે...પણ..એ દ્રવ્ય તરીકે જણાતા નથી અને એમાં દ્રવ્ય છે જ નહીં...પરિણામમાં અપરિણામી ક્યાં છે? હવે કહે છે કે એ તરફથી જોતાં...દ્રવ્યનાં દર્શન થતાં નથી. પરિણામ તરફ જોતાં..પરિણામના દર્શન થાય છે...પણ ભગવાન આત્માનાં દર્શન થતાં નથી. ચાલો....એ તો ઠીક છે...પણ દ્રવ્ય તરફ જોતાં... દ્રવ્યનાં પરિણામ દેખાય કે ન દેખાય? ન દેખાય, કેમકે દ્રવ્યમાં પરિણામ નથી. –જેમા પર્યાયમાં દ્રવ્ય નથી એમ દ્રવ્યમાં પર્યાય નથી..માટે (પરિણામ) જણાતા નથી. હોય તો જણાય ને નવના ભેદો..
(કેટલાક કહે છે ને) દ્રવ્યના પરિણામ તો એમાં છે પણ હું ગૌણ કરીને દ્રવ્યને જોઉં છું...આહાહા! રહેવા દે! પરિણામ જ એમાં નથી પછી ગૌણ કે મુખ્યની ક્યાં વાત જ રહી. એ તો પ્રમાણમાં મુખ્ય-ગૌણ હોય...નયનો વિષય તો એકલો સામાન્ય શુદ્ધ આત્મા! ટંકોત્કીર્ણ પરમાત્મા છે...એમાં પરિણામ નથી માટે પરિણામ દેખાતા નથી. નથી દેખાતા–એમાં છે નહીં માટે એનો આશ્રય પણ આવતો નથી. આહા..હા ! એકલો ચિદાનંદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com