SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રવચન નં. ૨ લીધું તું ને! થવાયોગ્ય અને કરનાર..એ જ વાત છે. “પોતે અને પર જેમનાં કારણ છે એવાં એક દ્રવ્યના “પર્યાયોપણે ” અનુભવ કરવામાં આવતાં...ભૂતાર્થ છે” એ એક દ્રવ્યના પર્યાયોપણે એટલે ? એક જીવના પરિણામપણે ને એક અજીવના પરિણામપણે એમ....બેયની એકતા નથી કરવી આંહીયા..અંતર-દષ્ટિથી વાત છે. આંહીયાં...બાહ્ય-સ્થૂલદષ્ટિ નથી આંયિાં...આમાં (લખ્યું છે) એક દ્રવ્યના પર્યાયોપણે, પણ સમજી લેવાનું કે બેય દ્રવ્ય (જીવ-અજીવની) વાત છે. એક દ્રવ્ય છે ને જીવદ્રવ્ય એનાં નવ (પરિણામ) અને એક અજીવના પરિણામ નવ (વિકાર) એમ બેયનાં વિકારની વાત છે, બેયની એકતા નથી આહીયા. જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે એવા એકદ્રવ્યના પર્યાયોપણે-ઉપર એક દ્રવ્યના પરિણામ તો લઈ લીધા-જીવના પરિણામ લીધા, ને અજીવના પરિણામ નામ સહિત તો લઈ લીધા.. પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે..અનુભવ કરતાં આહા...! અનભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે. (શ્રોતાઃ) એને વ્યવહાર ન કહેવાય ? (ઉત્તર) વ્યવહાર જ છે. આ પણ એક દ્રવ્યના પરિણામ છે. જીવ અને અજીવ, મળીને એકદ્રવ્યના પર્યાય એમ નથી એનો (ભાવ).. એક જીવદ્રવ્યના પરિણામ છે અને બીજા અજીવ દ્રવ્યના પરિણામ છે. આ એક દ્રવ્યના પરિણામ છે...એક દ્રવ્યના પરિણામ આંહીયાં છે ને ઓના એકદ્રવ્યના પરિણામ-નિમિત્તના ન્યાં છે. “એક દ્રવ્યના પરિણામ’ કહ્યું છે–એ બેયને (જીવ-અજીવ બેયને) લાગુ પડે છે. જીવ એક અને અજીવ પણ એક એમ! ... એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરતા-એટલે જ્ઞાન કરતા-એવું જ્ઞાન કરવામાં આવતાં ભૂતાર્થ છે. ભૂતાર્થ છે એટલે આ જીવના વિકારો એ છે અને અજીવના વિકારો અજીવપણે પણ જણાય છે. ભૂતાર્થ, સત્યાર્થ છે એટલે એનું હોવાપણું છે. અહીં તો અતિ સિદ્ધ કરે છે વિકારની..વિકાર બિલકુલ થતો જ નથી–વિશેષ કાર્ય..એમ નથી અને વિકાર થાય છે તો આત્માથી થાય છે...એમ પણ નથી. જીવની સાત પર્યાય અને અજીવની સાત પર્યાય-ઈ એકદ્રવ્યપણું છે...આંહી એક દ્રવ્યપણું છે ત્યાં એકદ્રવ્યપણું એનું છે જુદુ..બેય અલગ જ છે...જીવ અને અજીવ અલગ જ છે-જીવના પરિણામ અલગ અને અજીવના પરિણામ પણ અલગ છે. બેયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે..પણ કર્તા-કર્મ સંબંધ નથી. તો અજીવ હેતુ ન રહે..જો કર્તા-કર્મ (સંબંધ) હોય તો હેતુ ન કહેવાય-નિમિત્ત ન કહેવાય...નિમિત્ત, જુદાઈ બતાવે છે...નિમિત્ત-વિકારના હેતુઓ કહ્યા ને! એટલે નિમિત્તે કહ્યું, એટલે જુદાપણું બતાવે છે. આંહીયા ભાવપુર્ણને ત્યાં દ્રવ્યપુણ્યબેય જુદાં છે. આંહીયાં ભાવસંવર ને ત્યાં દ્રવ્યસંવર જુદા જુદા છે. બેય. “અને સર્વ કાળે જુઓ! સર્વ કાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને Please inform us of any errors on [email protected]
SR No.008214
Book TitleAtmajyoti
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy