________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૩૦૩ તેવા શુભભાવમાં (તીર્થકર) કર્મની પ્રકૃતિનો બંધ થઈ જાય છે. કર્મની પ્રકૃતિના બંધમાં કેવળ રાગ નિમિત્ત છે. રાગની સાથે...બાજુમાં અન્વયરૂપ જે જ્ઞાનાનંદ પરમાત્મા છે તે કર્મબંધમાં કારણ થતો નથી. એક સમય પણ કારણ નથી. જ્યારે રાગ કારણ થાય છે ત્યારે અકારણ પરમાત્મા એવો ને એવો જ રહે છે. આવું ભેદજ્ઞાન કરવું જોઈએ.
(બંધમાં) આત્મા નિમિત્ત થઈ ગયો? ત્રણ કાળમાં આત્મા નિમિત્ત થતો નથીપરાશ્રિત રાગ નિમિત્ત થાય છે. સ્વાશ્રિત સંવર નિર્જરા પણ બંધમાં નિમિત્ત થતા નથી–તો ભગવાન આત્મા તો નિમિત્ત ક્યાંથી થાય!
રાગથી આત્મા ભિન્ન છે. પુણ્ય-પાપનું લક્ષ છોડી દેવું. કર્મનું લક્ષ છોડવું, પુણ્યપાપની વૃતિ ઉઠે છે તેનું લક્ષ છોડવું. પુણ્ય પાપને છોડવાની વાત નથી-તાકાત નથી. કેમકે ગ્રહણ જ કર્યા નથી તો આત્માએ છોડ્યા ક્યાંથી. પુણ્ય-પાપ સંયોગ છે, તે આવે છે ને જાય છે. તે સંયોગનું લક્ષ છોડી, અંદરમાં ચિદાનંદ પરમાત્મા બિરાજમાન છે તેને દષ્ટિમાં લેવાથી આત્માનો અનુભવ થાય છે. આત્માના અનુભવનું નામ સમ્યફદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ છે.
નવ તત્ત્વોનું વિકલ્પમાં, જેમ છે તેમ લક્ષ કરે તો પણ સમ્યક્દર્શન થતું નથી. છ દ્રવ્યનું જ્ઞાન એટલે છ દ્રવ્યો જેવાં છે તેવાં જાણવાં તેનું નામ સમ્યકજ્ઞાન નથી. નવ તત્ત્વથી આત્મા ભિન્ન છે, નવ તત્ત્વ તો પરિણામરૂપ છે, આત્મા તો દ્રવ્યરૂપ છે. નવ તત્ત્વમાં મોક્ષની પર્યાય લઈ લ્યો! તેમાં અનંતગુણ છે નહીં તેથી તે જીવતત્ત્વ નથી. મોક્ષ તત્ત્વની જીવતત્ત્વમાં નાસ્તિ છે–તેવી અતિ ભગવાનની અંદરમાં છે. પરિણામમાત્રનું લક્ષ છોડીને અંદર ભગવાન આત્મા બિરાજમાન છે તેને જો !! તે દેખાય રહ્યો છે, નિરંતર જણાય રહ્યો છે, સ્વીકાર કર.... સ્વીકાર કર.
શ્રી કળશટીકાના ૮ નંબરના કળશમાં એમ આવ્યું છે કે-જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને નિરંતર જાણે છે. આત્મા પોતાના ઉપયોગથી પોતાના આત્માને નિરંતર જાણે છે. રાગ આત્માને જાણતો નથી, દેહુ આત્માને જાણતો નથી, પરંતુ જે ઉપયોગ લક્ષણ છે આત્માનું તેમાં આત્માના નિરંતર દર્શન થાય છે. દર્શન આત્મા દઈ રહ્યો છે પણ તે દર્શન લેતો નથી.
એક વખત રાજકોટમાં રતીભાઈ ધીયાએ પ્રશ્ન કર્યો હતો કે-ગુરુદેવ આત્માની આટલી પ્રશંસા કરે છે, પ્રશંસા કરતા થાકતા નથી, તો આવો આત્મા ચોવીસ કલાક શું કરતો હશે? મેં કહ્યું કે તે દર્શન દેવાનું કાર્ય નિરંતર કરે છે. એક સમય પણ દર્શન ન આપે તેમ થતું નથી. તો અમને તો દેખાતો નથી ? કે-દર્શન તો તે આપે છે પણ તું દર્શન લેતો નથી. આ ભગવાન છે, તેનાં દર્શન કરવા છે તો...ભગવાનની પ્રતિમા અહીં આવશે? કે આપણે દર્શન કરવા જવું પડે છે? ભગવાન અહીંયા આવતા નથી.
પ્રત્યેક જીવને, પ્રત્યેક સમયે ઉપયોગ લક્ષણ પ્રગટ થાય છે. જેમાં આત્મા નિરંતર જાણવામાં આવે છે. જણાય તો રહ્યો છે પણ તેની દૃષ્ટિ પર ઉપર છે તો ઈન્દ્રિયજ્ઞાન પ્રગટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com