________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૮૯ પ્રશ્ન- તમે બધો વ્યવહાર કાઢી નાખશો તો...?
ઉત્તર- બધો વ્યવહાર કાઢી નાખશે તો પરમાત્મા થઈ જશે, તેમાં તને વાંધો શું છે. તેમાં તને વાંધો શું આવ્યો? વ્યવહારનય કહે છે-તેવું તો તારું સ્વરૂપ છે નહીં. હા, વ્યવહારનય કહે છે તેવું તારું સ્વરૂપ હોય અને અમે તારો નિષેધ કરતા હોઈએ તો તો તને દુઃખ થાય. વ્યવહારનય કહે છે કે-આ શરીર છે તે આત્મા છે, પણ તે વાત ખોટી છે. અમે કહીએ છીએ કે વ્યવહારનય કહે છે તે ખોટી વાત છે તેમાં તને નુકશાન શું છે!?
વ્યવહારનય કહે છે-આત્મા કર્મથી બંધાણો છે. અમે કહીએ છીએ બંધાણો નથી, તને આમાં લાભ છે, નુકશાન નથી. વ્યવહારના પક્ષે ચડીને મરી ગયો, પણ અનુભવ થયો નહીં. અને નિશ્ચયના પક્ષમાં આવતાં કો'ક ને અંતર્મુહૂર્તમાં અને કો'કને મહિના બે મહિનામાં અનુભવ થાય થાય ને થાય જ. વર્ષો તો થાય જ નહીં. દિવસો થાય કાં તો થોડા મહિનાઓ થાય. છ મહિનાની અંદર, તેને સાતમો મહિનો ન થાય. આવી અપૂર્વ વાતો શાસ્ત્રમાં આપણા માટે આવી ગઈ છે. આ આપણા ઉપર ધર્મપિતાના પત્રો આવ્યા છે. તેમાં ઉપર આપણું નામ લખ્યું છે. જે વાંચ-સ્વાધ્યાય કરે તેનું નામ આમાં લખેલું છે.
“તેમનામાં એકપણું પ્રગટ કરનાર”, અનેક પર્યાયને જોવાનું બંધ કરી દે. કરવાનું બંધ કરી દે! પહેલાં કરતો હતો અને હવે કરવાનું છોડું છું એમ નથી. પહેલાં પણ કરતો નહોતો. પહેલાં પણ થવા યોગ્ય પરિણામ થયાં હતાં. પરિણામને હું કરું છું તેવી મિથ્યા માન્યતા કરતો હતો. હવે તે મિથ્યા માન્યતા છોડી દે. પરિણામ તો થવા યોગ્ય થયા કરે છે અને પછી તેને જાણવાનું બંધ કરી દે.
જાણવાનું બંધ ક્યારે થાય? જાણનારને જાણે ત્યારે જાણવાનું બંધ થાય. આ પર્યાય છે તેને મારે જાણવી નથી, તેમ જાણવાનું બંધ નહીં થાય. આહા..હા ! પરિણામથી ભિન્ન સામાન્ય ચિદાનંદ આત્મા ઉપર દષ્ટિ પડતાં, પરિણામ જ્ઞાનનું શેય નહીં થાય. દ્રવ્ય સામાન્ય અભેદપણે જ્ઞાનનું શય થઈ જશે. -અંદર ભેદ રહેશે નહીં.
“તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ” શુદ્ધનય એટલે અંતર્મુખ થયેલું જે જ્ઞાન, જે જ્ઞાનનો વિષય એકલો શુદ્ધાત્મા છે; પર્યાય જ્ઞાનનો વિષય થતી જ નથી તો પછી પર તો વિષય ક્યાંથી થાય. શુદ્ધનય-અંતર્મુખી એવું જે જ્ઞાન; આહા..હા ! એ અંતર્મુખી જ્ઞાનથી આત્મા જણાય છે, પછી પ્રત્યક્ષ થઈ જાય છે.
- જ્ઞાનની પર્યાય એક છે, તેમાં બે ભાગ છે. એક ભાગ અનાદિથી ઈન્દ્રિયજ્ઞાન રૂપે પ્રગટ થઈ રહ્યો છે-અને પરને પ્રસિદ્ધ કરી રહ્યો છે. એક અંશ આત્માને પ્રસિદ્ધ કરતો પ્રગટ થાય છે. તેનું નામ એ કે-બાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. (જે અનુભવમાં આત્મા) આવે છે તે આ અંશમાં અનુભવમાં આવે છે. ઈન્દ્રિયજ્ઞાન પરાડ઼મુખ છે તેથી તેમાં આત્મા જણાતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com