________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ : આત્મભાવના છે તથા નારકશરીરમાં રહેલા આત્માને નારક માને છે; પરંતુ આત્મા તો તે દેહથી જુદો અનંતાનંત જ્ઞાનાદિ શક્તિસંપન્ન, સ્વસંવેધ, અચલસ્થિતિવાળો છે, તેને તે જાણતો નથી. શરીર તો ટૂંકી મુદતવાળું જડ છે, ને આત્મા તો સળંગ સ્થિતિવાળો ચૈતન્યશક્તિસંપન્ન છે,એમ બન્નેની ભિન્નતાને અજ્ઞાની ઓળખતો નથી. અને એ પ્રમાણે ચિદાનંદશક્તિસંપન્ન આત્માને જે ઓળખાતો નથી તે ભલે શાસ્ત્રો ભણેલો મોટો વિદ્વાન ગણાતો હોય તોપણ ખરેખર તે અવિદ્વાન જ છે, ચૈતન્યવિધાની તેને ખબર નથી.
અંતરમાં મારો આત્મા જ્ઞાન-આનંદસ્વરૂપ અતીન્દ્રિય ભગવાન છે, એમ જે નથી જાણતો તે મૂઢ-બહિરાત્મા બહારમાં જડ શરીરને જ આત્મા માને છે; આ મનુષ્યદેહમાં રહેલો આત્મા તો મનુષ્યદેહથી જુદો જ્ઞાનસ્વરૂપ છે-તેને ન ઓળખતાં “આત્મા જ મનુષ્ય છે” એમ શરીરને જ આત્મા માની રહ્યો છે. જાણનાર સ્વરૂપ આત્માને જાણતો નથી તેને ધર્મ બિલકુલ થતો નથી.
હાથીનું શરીર જુએ ત્યાં “આ જીવ હાથી છે' એમ આત્માને જ હાથી વગેરે તિર્યંચરૂપે માને છે; દેવશરીરમાં આત્મા રહ્યો ત્યાં, આત્મા જ જાણે કે દેવશરીરરૂપે થઈ ગયો-એમ અજ્ઞાની માને છે; અને એ જ પ્રમાણે નારકશરીરમાં રહેલા આત્માને નારકીરૂપ માને છે; પણ આત્મા તો અરૂપી, જ્ઞાન-આનંદસ્વરૂપ છે, એમ અજ્ઞાની જાણતો નથી. આત્મા તો દેહથી તદ્દન ભિન્ન છે. જાદાં જુદાં શરીરો ધારણ કરવા છતાં આત્મા પોતાના ચૈતન્યસ્વરૂપે જ રહ્યો છે, ચૈતન્યસ્વરૂપથી છૂટીને જડરૂપ કદી થયો જ નથી.
આત્મા પોતે તો જ્ઞાનસ્વરૂપ જ છે, તે કાંઈ મનુષ્ય વગેરે દેહરૂપે થયો નથી. મનુષ્ય-તિર્યંચ-દેવ-નારક એવાં નામ તો આ શરીરના સંયોગથી છે; કર્મની ઉપાધિથી રહિત આત્માના સ્વરૂપને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com