________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ : આત્મભાવના
દેહમાં આત્મબુદ્ધિને લીધે અજ્ઞાનીની ભૂલ
અને આત્માનું ખરું સ્વરૂપ
આત્મજ્ઞાનથી વિમુખ હોવાથી, અને ઇંદ્રિયજ્ઞાનદ્વારા જ જાણતો હોવાથી અજ્ઞાની જીવ દેહથી ભિન્ન પોતાના આત્માને જાણતો નથી. શરીરને જ આત્મા માને છે; તેમ જ બીજામાં પણ તે રીતે શરીરને જ આત્મા માને છે, અને આત્માને જ મનુષ્યાદિરૂપે માને છે,-પણ આત્માનું ખરું સ્વરૂપ તેવું નથી. તે વાત હવે આઠમી તથા નવમી ગાથામાં કહે છે –
नरदेहस्थमात्मानमविद्वान्मन्यते नरम्। तिर्यं चं तिर्यगंगस्थं सुरांगस्थं सुरं तथा।।८।। नारकं नारकांगस्थं न स्वयं तत्त्वतस्तथा।
अनंतानंतधीशक्तिः स्वसंवेधोऽचलस्थितिः।।९।। જાઓ, આ અવિદ્વાન જીવની માન્યતા! અંતર્મુખ થઈને જે અતીન્દ્રિય આત્માને નથી જાણતો ને દેહાદિને આત્મા માને છે તે ભલે ગમે તેટલાં શાસ્ત્રો ભણ્યો હોય તોપણ અવિદ્વાન છે-મૂર્ખ છેમિથ્યાદષ્ટિ છે. પહેલાં એમ કહ્યું કે જ્ઞાનને સ્વસમ્મુખ કરીને જે પોતાના આત્માને નથી જાણતો તે પોતાના શરીરને જ આત્મા માને છે. અને એ રીતે જે પોતામાં શરીરને જ આત્મા માને છે તે બીજામાં પણ મનુષ્ય-દેવ વગેરેના શરીરને આત્મા જ માને છે,એટલે દેહ તથા આત્માને અભેદ માને છે.
જે જીવ બાહ્યદષ્ટિવાળો અવિદ્વાન છે તે નરદેહમાં રહેલા આત્માને નર માને છે; એ જ પ્રમાણે તિર્યંચ શરીરમાં રહેલા આત્માને તિર્યંચ માને છે, દેવશરીરમાં રહેલા આત્માને દેવ માને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com