________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મભાવના : ૨૧ રસ ન હોય તેણે તો સર્વ પ્રકારે એ આત્મસ્વરૂપની જ પ્રાપ્તિનો ઉદ્યમ કર્તવ્ય છે.
વળી “યોગસાર” માં પણ કહે છે કે વિદ્વાન પુરુષોએ આ એક ચૈતન્યસ્વરૂપ આત્મા જ નિશ્ચલ મનથી પઢવા યોગ્ય છે, તે જ ધ્યાન કરવા યોગ્ય છે, તે જ આરાધવા યોગ્ય છે, તે જ પૂછવા યોગ્ય છે, તે જ શ્રવણ કરવા યોગ્ય છે, તે જ અભ્યાસવા યોગ્ય છે, તે જ ઉપાર્જન કરવા યોગ્ય છે, તે જ જાણવા યોગ્ય છે, તે જ કહેવાયોગ્ય છે, તે જ પ્રાર્થના કરવા યોગ્ય છે, તે જ શિક્ષાયોગ્ય (વિનય) છે, અને તે જ સ્પર્શવા યોગ્ય છે કે જેથી આત્મા સદા સ્થિર રહે.-આ રીતે ઘણા બોલથી એક આત્માને જ ઉપાદેય કહ્યો છે.
શ્રી પદ્મનંદી મુનિરાજ પણ કહે છે કે જે જીવો વારંવાર આત્મતત્ત્વનો અભ્યાસ કરે છે, કથન કરે છે, વિચાર કરે છે, સમ્યકપ્રકારે ભાવના કરે છે તેઓ નવ ક્ષાયિક લબ્ધિસહિત અક્ષય અને ઉત્કૃષ્ટ એવા મોક્ષસુખને અલ્પકાળમાં પ્રાપ્ત કરે છે (આ શ્લોક સોનગઢ માનસ્તંભમાં કોતરેલો છે. )
જગતના જીવોને-જેને સુખ જોઈતું હોય તેણે-આ પરથી ભિન્ન શુદ્ધ આત્મા જ જાણવા યોગ્ય છે, તેને જાણ્યા વિના સુખ કદી થાય નહિ, ચૈતન્યસ્વરૂપ આત્માની સન્મુખ થવું તે જ સુખનો ઉપાય છે, ને તે માટે જ શાસ્ત્રોમાં સંતોનો ઉપદેશ છે. સર્વ ઉપદેશનું રહસ્ય શું? કે શુદ્ધ આત્માની સન્મુખ થઈને તેને જાણવો. તે જ સર્વ શાસ્ત્રોનો સાર છે. આ સિવાય બહારના બીજા ઉપાયથી સુખ થવાનું જે કહેતા હોય તે ઉપદેશક પણ સાચા નથી, ને તેનો ઉપદેશ તે હિતોપદેશ નથી. હિતોપદેશ તો આ છે કે તું તારા શુદ્ધ આત્માને જાણીને તેની સન્મુખ થા.
આગમથી, અનુમાનથી ને અનુભવથી શુદ્ધ આત્માનું સ્વPlease inform us of any errors on rajesh@ AtmaDharma.com