________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭
| (સામાન્ય દષ્ટાંત દાષ્ટત)
વળી અહીં એક ટૂંકું દષ્ટાંત જાણવું. જેમકે એક બિલાડી, લોટણ નામની જડી, તેની જેવી વાસના (ગંધ) છે, તેવી વાસના અકારણરૂપ-સહજ જ-પોતામાં (એ લોટણ જડીમાં) પ્રગટ છે. એવી જડીની વાસનાનું નિમિત્તમાત્ર, એટલું જ પામીને, વળી (આ બીજાં) શાણી-પોતાની ગતિમાં પ્રવીણ એવી બિલાડી, તે જડીની તે વાસનામાં પોતાની સર્વ સૂરત રંજિત કરતી થકી પોતાની ચેષ્ટાની સૂરત વિસરી ગઈ. ત્યારે તે બિલાડીને કેવો વિકાર ઊપજે છે? તે બિલાડી તે જડીને તો જાણ્યા કરે છે અને તે જડીને દેખ્યા કરે છે તોપણ તે જડીથી તેનું મન ખસતું નથી, તેમાં તે રામ્યા કરે છે. એવી રીતે થઈને તે બિલાડી તે જડીની આગળ આળોટયા કરે છે. એવી રીતે આ જડીની વાસનાનું નિમિત્ત માત્ર એટલું જ પામીને, બિલાડી આળોટવાની ક્રિયા કરે છે, તેવી રીતે કર્મવર્ગણાના વ્યક્તકર્મત્વ પરિણતિનું નિમિત્તમાત્ર એટલું જ પામીને, આ જીવ પોતે જ ચિત્વિકારની ક્રિયાને કરે છે.
| ઇતિ સામાન્ય દષ્ટાન્ત દાર્દાન્ત |
Please inform us of any errors on rajesh@AtmaDharma.com