________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિશ્ચય લક્ષણ
૨૭ દ્રવ્ય-દ્રવ્યપરિણામનેજ પરિણમવાને આધીન જે ભાવ-તે, તેજ દ્રવ્યના પરિણામરૂપે પરિણમે, અન્ય પરિણામરૂપે ન પરિણમે, તેને નિશ્ચય જાણવો. એવા એવા ભાવોને વચનદ્વારા નિશ્ચયસંજ્ઞા કહી છે.
ભાવાર્થ - હે સંત! જે આ નિજ નિજ અનંતગુણો મળી થયેલો એક પિંડભાવ (અનંતગુણોની એકતાથી–અભિન્નતાથી બનેલો એકપિંડભાવ) એકરૂપ સંબંધ (તાદાભ્યસંબંધ) તેને ગુણનો પંજ કહેવામાં આવે છે. તે ગુણપુંજન (અનંત ગુણના એક અખંડ સત્ત્વનેદલને) “વસ્તુ” એવું નામ કહેવામાં આવે છે. તે આ વસ્તુત્વનામ ગુણોના પુંજ વિના બીજા કોને કહેવું? આ ગુણપુંજને વસ્તુ કહેવામાં આવે છે. તે આ વસ્તુત્ત્વને નિશ્ચયસંજ્ઞા જાણવી.
વળી, જે જે ગુણ, જે જે જેવું જેવું રૂપ ધારણ કરી ઊપજ્યો છે, તે તે ગુણ પોતપોતાનું તેવું તેવું રૂપ ધારણ કરે, એક ગુણ બીજા ગુણથી તો પોતાના જુદારૂપે અનાદિઅનંત રહે છે, આવું જે જુદું રૂપ, તેને નિજાતિ કહેવામાં આવે છે. તે આપોઆપ અનાદિનિધન છે. તે રૂપ કોઈ અન્ય રૂપનીસાથે ન મળે. વળી જે રૂપ તે જ ગુણ જ રૂપઆવું જે તાદાભ્યલક્ષણ પણ જો કોઈ તે રૂપની નાસ્તિ ચિંતવે, તો તેણે તેવા ગુણની નાતિ ચિંતવી, એવું જે પોતપોતાનું રૂપ છે, તે રૂપને નિન્જાતિસ્વભાવ કહેવામાં આવે છે. એવા નિજરૂપને નિશ્ચયસંજ્ઞા કહેવામાં આવે છે.
વળી અનંતગુણોનો એક પૂંજભાવ દેખવો, પણ ગુણને જુદા ના દેખવા, વળી અનંતશક્તિવાન જે ગુણ છે, તે એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com