________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિધિવાદ પરિણતિ જીવને વિધિયોગ્ય છે (વિધિરૂપ છે ) કારણ કે (ત્યારે) જીવ સુખી થાય છે અને જીવની જે પરભાવરૂપ અશુદ્ધ પરિણતિ છે તે પરિણતિરૂપે પરિણમતાં કર્મનો જ આસ્રવ થાય છે અને આત્મપ્રદેશો સાથે પરસ્પર એક ક્ષેત્રાવગાહથી કર્મનોજ બંધ થાય છે, પુણ્ય પાપનો વિપાક થાય ત્યારે જીવ દુઃખી થાય છે. તો જીવની આવી અશુદ્ધ પરિણતિ જીવને અવિધિરૂપ છે અયોગ્ય છે; કારણ કે (ત્યારે) જીવ દુઃખી થાય છે તેથી આ જીવને પરમાનંદરૂપ સુખ થવામાં સ્વરૂપપરિણતિ વિધિયોગ્ય છે. તેથી જ્યારે તેથી જ્યારે તે સ્વરૂપપરિણતિરૂપ પરિણામે છે ત્યારે તેના પરિણામથી અવિધિપરિણતિ સહજ જ રહી જાય છે. (થંભી જાય છે, અટકી જાય છે, નષ્ટ થઈ જાય છે.) વળી વચનવ્યવહારથી પણ આમ કહેવામાં આવે છે કે- “સ્વરૂપપરિણતિરૂપે પ્રવર્તે. આ પ્રવર્તન તમને યોગ્ય છે.
||
ઇતિ વિધિવાદ: |
Please inform us of any errors on rajesh@AtmaDharma.com