________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
નજરે દેખવામાં આવે છે. ત્યારે જ જ્ઞાનરૂપી વસ્તુ ભૂતકાલમાં દેખેલી વસ્તુને યાદ કરી શકે કે જો તે ટકતી હોય. જો વસ્તુ એક સમય કરતાં વધારે સમય ટકતી દેખવામાં આવે છે તો “ટકવું” તેનો સ્વભાવ
દ
22
ઠર્યો. “ ટકવું ” જેનો સ્વભાવ છે તે વસ્તુ પહેલાં ન હોય તેમ કેમ બને? ટકે છે તો તે વસ્તુ છે, છે ને છે જ, અર્થાત્ તે ત્રણે કાલે ટકે જ. માટે આ દ્રવ્યો પહેલાં ન હતાં તેવી કલ્પના કરવી તે સાવ નિરર્થક જ છે. વસ્તુ સ્વયં સત્ છે. અભાવમાંથી (શૂન્યમાંથી, ન હોય તેમાંથી ) કોઈ પણ વસ્તુ નવી ઉપજે નહિ. સત્નો (હોય તેનો ) વિનાશ હોય નહિ, અસત્ની (ન હોય તેની ) ઉત્પત્તિ હોય. દ્રવ્ય છે તો તે ત્રણે કાલે છે. માટે છ એ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપે અનાદિથી જ હયાતિરૂપે પોતાથી જ વર્તી રહ્યાં છે. જીવ, અજીવ સ્વયં ટકે છે એવી જ્યાં સહજ વસ્તુસ્થિતિ છે ત્યાં તેઓ અનાદિથી કેમ હોય તેવો પ્રશ્ન જ રહેતો નથી.
કોઈ પણ વસ્તુ પોતપોતાની અવસ્થા વિના હોઈ શકે નહિ. વસ્તુ છે તો તેની અવસ્થા હોય ને હોય જ. છ એ દ્રવ્યો પોતાના મૂળ નિતિસ્વભાવથી ટકે છે અને તેમની અવસ્થા બદલે છે. વસ્તુજ અવસ્થાનું ‘ બદલવું ’ તે વસ્તુનો સ્વભાવ હોવાથી ઝડપથી એટલે કે એક જ સમયમાં અવસ્થા બદલે. એ રીતે છ દ્રવ્યો ટકીને બદલે છે. આ વસ્તુસ્વભાવનો મૂળભૂત સિદ્ધાંત છે.
ત્યાં જીવ અને પુદગલ વિકારૂપે કે અવિકારરૂપે પરિણમે છે તેથી સંસાર અને મોક્ષ બને છે. જો જીવ ટકતો ન હોય તો મોક્ષમાં સુખ કોણ ભોગવે? જો જીવની અવસ્થા બદલાતી ન હોય તો વિકાર ટળી મોક્ષરૂપ અવિકારી દશા ક્યાંથી થાય ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com