________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬) આ જગતની જેવી સ્થિતિ છે તેવી સ્થિતિએ જ તે સદા રહે છે. તેને યથાસ્થિતિ કહે છે.
(૭) વસ્તુનો જે મૂળ સ્વભાવ હોય તે મર્યાદિત ન હોય, બેહદ હોય. આત્માનો સ્વભાવ જાણવાનો છે તો તે બેહદ હોય. આત્માનો સ્વભાવ જાણવાનો છે તો તે કોને ન જાણે? બધાને જાણે. સમસ્ત વસ્તુઓનો સ્વભાવ પ્રમેયત્વ ગુણને લીધે જણાવા યોગ્ય છે, તો તે પણ બેહદ હોય. તો જ્ઞાનમાં કઈ વસ્તુ ન જણાય? બધી જણાય. તેથી આત્મા પૂર્ણ નિર્મળ જ્ઞાન વડે અનંત ધર્મોયુક્ત વસ્તુના સમસ્ત સ્વરૂપને જાણે છે અને પ્રત્યેક દ્રવ્યમાં પ્રમેયત્વગુણ હોવાથી અનંત ધર્મોયુક્ત પ્રત્યેક દ્રવ્યનું સંપૂર્ણ સ્વરૂપ જ્ઞાનમાં જણાય છે.
(૮-૯) આ આત્મા જેમ જેમ પોતાની નિજજાતિરૂપે પરિણમે છે તેમ તેમ અશુદ્ધભાવ આપોઆપ નાશ પામે છે તેથી અશુદ્ધભાવ અનિત્ય છે, હેય છે, સ્વરૂપાચરણ પરિણામ ઉપાદેય છે સર્વ પરઅલંબન હેય કરવું, નિજસ્વરૂપને જ અવલંબવું તે તે ઉપાદેય કરવું.
(૧૦) ભેદ પાડવા તે વ્યવહારનય છે. જે ભાવનો વ્યાપ્યવ્યાપક એકમેક સંબંધ ન હોય તે વ્યવહાર નામ પામે.
(૧૧) અનંત ગુણનો સમુદાય-અનંત ગુણનું એકત્વ તે વસ્તુ છે. તે વસ્તુને નિશ્ચય કહેવામાં આવે છે. નિજ વસ્તુ સાથે જે ભાવનો વ્યાપ્યાપક એકમેક સંબંધ હોય તેને નિશ્ચય જાણવો.
(૧૨) નિશ્ચયથી આત્માના અનંત ગુણો જ્યારે સર્વથા પોતાની નિજ જાતિરૂપ થાય ત્યારે આત્માનો પરમસ્વભાવ કહેવામાં આવે છે. આત્માના દ્રવ્યગુણપર્યાય ત્રણે સર્વથા સાક્ષાત્ પરમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com