________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
(અષ્ટપાહુડ
રે! હોય બહુ વા અલ્પ પરિગ્રહ સાધુને જેના મતે, તે નિંધ છે; જિનવચનમાં મુનિ નિષ્પરિગ્રહ હોય છે. ૧૯
અર્થ:- જેના મતમાં લીંગ અર્થાત્ વેષમાં પરિગ્રહનું અલ્પ કે બહુ ગ્રહણ કરવાનું કહ્યું છે તે મત તથા તેના શ્રદ્ધાવાન પુરુષ ગર્વિત-નિંદાયોગ્ય છે. કેમકે જિનવચનમાં પરિગ્રહ રહિત જ નિરાગાર છે, નિર્દોષ મુનિ છે. એ પ્રમાણે કહ્યું છે.
ભાવાર્થ:- શ્વેતામ્બરાદિકના કલ્પિત સૂત્રોમાં મુનિને અલ્પકે બહુ પરિગ્રહનું ગ્રહણ કહ્યું છે. તે સિદ્ધાંત તથા તેના શ્રદ્ધાની નિંધ છે. જિનવચનમાં પરિગ્રહ રહિતને જ નિર્દોષ મુનિ કહ્યા છે. ૧૯
હવે કહે છે કે જિનવચનમાં આવા મુનિ વંદનયોગ્ય કહ્યા છે:
पंचमहव्वयजुत्तो तिहिं गुत्तिहिं जो स संजदो होई। णिग्गंथमोक्खमग्गो सो होदि हु वंदणिज्जो य।।२०।। पंचमहाव्रतयुक्तः तिसृभिः गुप्तिभिः यः स संयतो भवति। નિયમોક્ષમાર્ગ: સ મવતિ દિ વન્દ્રનીય: વા ૨૦
ત્રણ ગુતિ, પંચમહાવતે જે યુક્ત, સંયત તેહ છે; નિર્ચન્થ મુક્તિમાર્ગ છે તે; તે ખરેખર બંધ છે. ૨૦
અર્થ:- જે મુનિ પાંચ મહાવ્રત યુક્ત અને ત્રણ ગુતિ સંયુક્ત હોય તે સંયત-સંયમી છે અને નિગ્રંથ મોક્ષમાર્ગી છે તથા તે જ પ્રગટ નિશ્ચયથી વંદન યોગ્ય છે.
ભાવાર્થ:- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રત સહિત હોય અને મન, વચન, કાયરૂપ ત્રણ ગુતિ સહિત હોય તે સંયમી છે, તે નિર્ગસ્થ સ્વરૂપ છે, તે જ વંદન યોગ્ય છે. જે કોઈ અલ્પ કે બહુ પરિગ્રહ રાખે તે મહાવ્રતી સંયમી નથી, તે મોક્ષમાર્ગી નથી અને ગૃહસ્થ સમાન પણ નથી. ૨૦
હવે કહે છે કે પૂર્વોક્ત એક વેષ તો મુનિનો કહ્યો. હવે બીજા વેષ ઉત્કૃષ્ટ શ્રાવકનો આ પ્રકારે કહ્યો છે:
दुइयं च उत्त लिंगं उक्किटुं अवरसावयाणं च। भिक्खं भमेइ पत्ते समिदी भासेण मोणेण।। २१।।
द्वितीयं चोक्तं लिंगं उत्कृष्टं अवरश्रावकाणां च। भिक्षां भ्रमति पात्रे समिति भाषया मौनेन।। २१।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com