________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
પર
(અષ્ટપાહુડ
અર્થ:- જેપુરુષ જિનસૂત્રમાં સ્થિર થયો થકો ઈચ્છાકાર શબ્દના મહાન પ્રધાન અર્થને જાણે છે અને જે શ્રાવકની ભૂમિકારૂપ પ્રતિમા સ્થાન- તેમાં સ્થિતિ કરતો થકો સમ્યકત્વ સહિત વર્તે છે, આરંભ આદિ કાર્યો છોડે છે તે પરલોકમાં સુખ પ્રાપ્ત કરવાવાળો હોય છે.
ભાવાર્થ:- ઉત્કૃષ્ટ શ્રાવકને ઈચ્છાકાર કરીએ છીએ. જે ઈચ્છાકારના પ્રધાન અર્થને જાણે છે અને સૂત્ર અનુસાર સમ્યકત્વ સહિત આરંભાદિક છોડીને ઉત્કૃષ્ટ શ્રાવક છે તે પરલોકમાં સ્વર્ગનું સુખ પામે છે. ૧૪
હવે કહે છે કે જે ઈચ્છાકારના પ્રધાન અર્થને જાણતો નથી અને અન્ય ધર્મનું આચરણ કરે છે તે સિદ્ધિને પામતો નથી.
अह पुण अप्पा णिच्छदि धम्माइं करेइ णिरवसेसाइं। तह विण पावदि सिद्धिं संसारत्थो पुणो भणिदो।।१५।।
अथ पुनः आत्मानं नेच्छति धर्मान् करोति निरवेशषान्। तथापि न प्राप्नोति सिद्धिं संसारस्थ: पुन: भणितः।। १५ ।।
પણ આત્મને ઈચ્છયા વિના ધર્મો અશેષ કરે ભલે, તોપણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે-આગમ કહે. ૧૫
અર્થ:- “અથ પુનઃ” શબ્દનો એવો અર્થ છે કે આ પહેલાની ગાથામાં કહ્યું હતું કે જે ઈચ્છાકારના પ્રધાન અર્થને જાણે છે તે આચરણ કરીને સ્વર્ગસુખ પામે છે, તે હવે ફરી કહે છે કે ઈચ્છાકારનો પ્રધાન અર્થ આત્માને ચાહવો છે પોતાના સ્વરૂપની રુચિ કરવી એ છે. તેને જે ઈષ્ટ માનતો નથી અને બીજા ધર્મના સમસ્ત આચરણ કરતો હોય તો પણ સિદ્ધિ અર્થાત્ મોક્ષ પામતો નથી, અને તેને સંસારમાં જ રહેવાવાળો કહ્યો છે.
ભાવાર્થ - ઈચ્છાકારનો મુખ્ય અર્થ પોતાને ચાહવો તે છે. તેથી જેને પોતાના સ્વરૂપની રુચિરૂપ સમ્યકત્વ નથી, તેને મુનિ-શ્રાવકની આચરણરૂપ પ્રવૃત્તિ મોક્ષનું કારણ નથી. ૧૫.
હવે આ જ અર્થને દઢ કરીને ઉપદેશ કરે છે:
ए ए ण कारणेण य तं अप्पा सदृहेह तिविहेण। जेण य लहेह मोक्खं तं जाणिजह पयत्तेण।।१६।।
एतेन कारणेन च तं आत्मानं श्रद्धत्त त्रिविधेन। येन च लभध्वं मोक्षं तं जानीत प्रयत्नेन।।१६।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com