SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates (અષ્ટપાહુડ છે, તથા જ્યારે પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણવામાં આવે ત્યારે સાચો-ખોટો માર્ગ જાણવામાં આવે છે. આ પ્રકારે માર્ગને જાણવામાં પણ સમ્યગ્દર્શન જ મુખ્ય છે. ૧૫ કલ્યાણ-અકલ્યાણને જાણવાથી શું થાય છે તે હવે કહે છે: सेयोसेयविदण्हू उद्बुददुस्सील सीलवंतो वि। सीलफलेणब्भुदयं तत्तो पुण लहइ णिव्वाणं ।। १६ ।। श्रेयोऽश्रेयवेत्ता उद्धृतदुःशील: शीलवानपि। शीलफलेनाभ्युदयं ततः पुनः लभते निर्वाणम्।।१६।। અશ્રેય-શ્રેય સુજાણ છોડી કુશીલ ધારે શીલને, ને શીલફળથી હોય અભ્યદય, પછી મુક્તિ લહે. ૧૬ અર્થ - કલ્યાણ અને અકલ્યાણ માર્ગને જાણવાવાળા પુરુષ “ઉદધૃતદુઃશીલઃ' અર્થાત્ જેણે મિથ્યાત્વ સ્વભાવને ઉડાડી દીધો છે-એવા હોય છે; તથા “શીલવાનપિ” અર્થાત સમ્યકત્વ સ્વભાવયુક્ત પણ હોય છે તથા તે સમ્યક સ્વભાવના ફળથી વૃદ્ધિને પ્રાપ્ત થાય છે, તીર્થંકરાદિ પદ પ્રાપ્ત કરે છે, તથા વૃદ્ધિ થયા પછી નિર્વાણ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ- સાચા-ખોટા માર્ગને જાણે ત્યારે અનાદિ સંસારથી માંડીને જે મિથ્યાત્વભાવરૂપ પ્રકૃતિ છે તે પલટીને સમ્યફસ્વભાવ સ્વરૂપ પ્રકૃતિ થાય છે, તે પ્રકૃતિથી વિશિષ્ટ પુણ્ય બાંધે ત્યારે અભ્યદયરૂપ તીર્થંકરાદિની પદવી પ્રાપ્ત કરીને નિર્વાણ પામે છે. ૧ હવે કહે છે કે આવું સમ્યકત્વ જિનવચનથી પ્રાપ્ત થાય છે, તેથી તે જ સર્વ દુઃખોનો નાશ કરે છે: जिणवयणमोसहमिणं विसयसुहविरेयणं अमिदभूदं। जरमरणवाहिहरणं खयकरणं सव्वदुक्खाणं ।।१७।। जिनवचनमौषधमिदं विषयसुखविरेचनममृतभूतम्। जरामरणव्याधिहरणंक्षयकरणं મા ૨૭ જિનવચનરૂપ દવા વિષયસુખરેચિકા, અમૃતમયી, છે વ્યાધિ-મરણ-જરાદિહરણી, સર્વ દુઃખ વિનાશિની. ૧૭ ૧ અભ્યદય = તીર્થકરતાદિની પ્રાપ્તિ Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy