________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
(અષ્ટપાહુડ
सम्मत्तरयण जाणंता बहुविहाइं सत्थाई। आराहणाविरहिया भमंति तत्थेव तत्थेव।। ४।।
सम्यक्त्वरत्नभ्रष्टाः जानंतो बहुविधानि शास्त्राणि। आराधना विरहिताः भ्रमति तत्रैव तत्रैव।।४।।
સમ્યકત્વરત્નવિહીન જાણે શાસ્ત્ર બહુવિધને ભલે, પણ શૂન્ય છે આરાધનાથી તેથી ત્યાં ને ત્યાં ભમે. ૪
અર્થ:- જે પુરુષ સમ્યકત્વરૂપ રત્નથી ભ્રષ્ટ છે તથા અનેક પ્રકારના શાસ્ત્રોને જાણે છે, તથાપિ તે આરાધનાથી રહિત થયા થકા સંસારમાં જ ભ્રમણ કરે છે. બે વાર (ત્યાં ને ત્યાં) કહીને બહુ જ પરિભ્રમણ બતાવ્યું છે.
ભાવાર્થ- જે જિનમતની શ્રદ્ધાથી ભ્રષ્ટ છે અને શબ્દ, ન્યાય, છંદ, અલંકારાદિ અનેક પ્રકારના શાસ્ત્રોને જાણે છે તો પણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, કપરૂપ આરાધના તેમને હોતી નથી; તેથી કુમરણથી ચાર ગતિરૂપ સંસારમાં જ ભ્રમણ કરે છે-મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી; તેથી સમ્યકત્વ રહિત જ્ઞાનને આરાધના નામ અપાતું નથી.
હવે કહે છે કે જે તપ પણ કરે છે અને સમ્યકત્વ રહિત હોય છે તેમને સ્વરૂપનો લાભ હોતો નથી:
सम्मत्तविरहिया णं सुट्ट वि उग्गं तवं चरंता णं। ण लहंति बोहिलाहं अवि वाससहस्सकोडीहिं।। ५।।
सम्यकत्वविरहिता णं सुष्टु अपि उग्रं तपः चरंतो णं। न लभन्ते बोधिलाभं अपि वर्षसहस्रकोटिभिः।।५।।
સમ્યકત્વ વિણ જીવો ભલે તપ ઉગ્ર સુર્છા આચરે, પણ લક્ષ કોટિ વર્ષમાંય બોધિલાભ નહીં લહે. ૫
અર્થ:- જે પુરુષ સમ્યકત્વથી રહિત છે તેઓ સુખુ અર્થાત્ સારી રીતે ઉગ્ર તપનું આચરણ કરે તો પણ તેઓ બોધિ અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય જે પોતાનું સ્વરૂપ છે તેનો લાભ પ્રાપ્ત કરતા નથી; તેઓ હજાર-કરોડ વર્ષ સુધી તપ કરતા રહે તો પણ તેમને સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અહીં મૂળ ગાથામાં બે જગ્યાએ શબ્દ છે. તે પ્રાકૃત ભાષામાં અવ્યય છે, તેનો અર્થ વાકયનો અલંકાર છે.
ભાવાર્થ- સમ્યકત્વ વિના હુજાર-કરોડ વર્ષ તપ કરવા છતાં પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી. અહીં હજાર-કરોડ વર્ષ કહેવાનું તાત્પર્ય એટલા જ વર્ષો સમજવાનું નથી, પરંતુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com