________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
શીલપાહુડ)
૩૫૩
શુભભાવના ભાવે તો નરકની વેદના પણ હળવી થઈ જાય છે. તથા ત્યાંથી નીકળી તીર્થંકરપદ પ્રાપ્ત કરીને મોક્ષ પામે છે. આ માહીભ્ય શીલનું જ જાણો.
સિદ્ધાંતમાં આ પ્રકારે કહ્યું છે કે સમ્યગ્દષ્ટિને જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ નિયમથી હોય છે. તે વૈરાગ્યશક્તિ છે તે જ શીલનો એક દેશ છે એ પ્રકારે જાણવું. ૩ર
હવે આ કથનને સંકોચે છે:
एवं बहुप्पयारं जिणेहि पच्चक्खणाण दरसीहिं। सीलेण य मोक्खपयं अक्खातीदं य लोयणाणेहिं।।३३।।
एवं बहुप्रकारं जिनैः प्रत्यक्ष ज्ञानदर्शिभिः। शीलेन च मोक्षपदं अक्षातीतं च लोकज्ञानैः।। ३३।।
"અત્યક્ષ-શિવપદ પ્રાપ્તિ આમ ઘણા પ્રકારે શીલથી પ્રત્યક્ષ દર્શનશાનધર લોકશ જિનદેવે કહી. ૩૩
અર્થ:- એવું અર્થાત્ પૂર્વોક્ત પ્રકાર તથા અન્ય પ્રકારે (ઘણા પ્રકારે ) જેમને પ્રત્યક્ષ જ્ઞાન-દર્શન જોવામાં આવે છે, જેમને લોકાલોકનું જ્ઞાન છે એવા જિનદેવે કહ્યું છે કે શીલથી અક્ષાતીત-જેમાં ઇન્દ્રિય રહિત-અતીન્દ્રિય જ્ઞાન સુખ છે એવું મોક્ષપદ હોય છે.
ભાવાર્થ:- સર્વજ્ઞદેવે આ પ્રકારે કહ્યું છે કે-શીલથી અતીન્દ્રિય જ્ઞાન-સુખરૂપ મોક્ષપદ પ્રાપ્ત થાય છે. તેથી હે, ભવ્ય જીવો! આ શીલને અંગીકાર કરો-એવા ઉપદેશનો આશય સૂચિત થાય છે. વધું કયાં સુધી કહીએ! આટલું જ ઘણા પ્રકારથી જાણો. ૩૩
હવે કહે છે કે શીલથી નિર્વાણ થાય છે તેનું ઘણા પ્રકારથી વર્ણન છે તે કેવી રીતે? તે કહે છે –
सम्मत्तणाण दंसण तववीरयि पंचयारमप्पाणं। जलणो वि पवण सहिदो डहति पोरायणं कम्म।। ३४।।
सम्यक्त्वज्ञानदर्शनतपोवीर्यपंचाचाराः आत्मनाम्। ज्वलनोऽपि पवनसहितः दहति पुरातनं कर्म।। ३४ ।। સમ્યકત્વ-દર્શન-જ્ઞાન-તપ-વીર્યાચરણ આત્મા વિષે, પવને સહિત પાવક સમાન, દહે *પુરાતન કર્મને. ૩૪
૧. અત્યક્ષ = અતીન્દ્રિય; ઇન્દ્રિયાતીત. ૨. પાવક = અગ્નિ. ૩. દહે = બાળે. ૪. પુરાતન = જૂનાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com